________________
૧૧૭
શ્રાવકજીવન
સંથારો પાથરીને હું સૂતો હતો ને ઠાકુર આવ્યા અને બોલ્યા ઃ મહારાજ સાહેબ, આપ થાકેલા છો, થોડી વાર હું આપની સેવા કરું.' અને તે મારી પાસે બેસી ગયા. જો કે એ ઓરડામાં અમે પાંચ સાધુઓ હતા પરંતુ થોડુંક અંધારું હતું. ઠાકુર મારા પગ દબાવવા લાગ્યા. કુશળતાથી દબાવવા લાગ્યા. પરંતુ થોડી વારમાં મને લાગ્યું કે ઠાકુરના હાથ પગ કરતાં ઉપર જઈ રહ્યા છે. હું સતર્ક થઈ ગયો. હું બેઠો થઈ ગયો અને ઠાકુરને કહ્યું ઃ ‘હવે રહેવા દો. હવે મને ઊંઘ આવી રહી છે. તમે ખૂબ સેવા કરી. હવે અમે બધા સાધુઓ વિશ્રામ કરીશું.' જો કે ઠાકુરે ખૂબ આગ્રહ કર્યો સેવા કરવાનો, પરંતુ મેં એમને ઊભા કર્યા જ. સવારે તો અમે આગળ વિહાર
કરવાના જ હતા.
ગૃહસ્થો પાસે વિશ્રામણા કરાવવામાં ખૂબ જ સાવધાની રાખવી પડે છે. નહીંતર સેક્સી વૃત્તિ - જાતીય વાસના ભડકી ઊઠે છે. સંયમને ક્ષતિ પહોંચી શકે છે. અતિ આવશ્યકતા પડતાં પરિચિત અને સચ્ચરિત્ર વ્યક્તિ પાસે જ વિશ્રામણા કરાવવી જોઈએ.
શ્રાવકોનું એ કર્તવ્ય છે કે શ્રમિત સાધુપુરુષોની વિશ્રામણા કરે. મોટો લાભ થાય છે વિશ્રામણા કરવાથી. મોક્ષમાર્ગની આરાધના કરનારાઓની સેવા-વિશ્રામણા કરવાથી ‘ચારિત્રમોહનીય' કર્મ તૂટે છે. વિશ્રામણા કરવાના અનેક લાભ ઃ
‘ચારિત્રમોહનીય’ કર્મનો ક્ષયોપશમ થતાં તમારા મનમાં સમ્યગ્દર્શન અને ચારિત્રનું આકર્ષણ ઉત્પન્ન થાય છે. સીર્ય ઉલ્લસિત થાય છે અને તમે પણ મોક્ષમાર્ગના યાત્રી બની શકો છો. આ તો થયો આધ્યાત્મિક લાભ. બીજા ભૌતિક અને દૈવી લાભ પણ પ્રાપ્ત થાય છે.
એક વૃદ્ધ અનુભવી શ્રાવકે મને કહ્યું હતું ઃ અમારે ત્યાં એક એકલા સાધુ આવ્યા હતા. વૃદ્ધ હતા પરંતુ તેજસ્વી હતા. મારા ઘરમાં જ એમને ઉતાર્યા હતા. અમારા ગામમાં એક જ શ્રાવકનું ઘર હતું અને આજે પણ એક જ ઘર છે.
એ સાધુ-મુનિરાજને અમે ભિક્ષા-પાણી આપ્યાં, તેમના પ્રત્યે સદ્ભાવ અને સ્નેહ બતાવ્યાં. તેઓ દિવસભર માળા ફેરવતા રહ્યા. અમે પણ કોઈ વિક્ષેપ ન કર્યો. સાંજે પ્રતિક્રમણ પછી હું તેમની વિશ્રામણામાં ગયો. રાતના દશ વાગ્યા સુધી તેમની સેવા કરતો રહ્યો. તેમણે કહ્યું : “મહાનુભાવ, તમારા ઘરમાં બે ઉત્તમ રત્નો છે. તેનું જતન કરજો.’
મેં કહ્યું : ‘ગુરુદેવ, કયાં રત્નો છે ?’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org