________________
ભાગ ૩
૧૦૯ તો તમે કહો કે તેઓ કરતાં હશે. તેમની-તેમના આચાર્યની એવી પરંપરા હશે.”
જે શ્રાવક-શ્રાવિકા અમારા સાધુ-સાધ્વીના નિયમ તથા અપવાદોના જ્ઞાતા હોય છે, તેઓ અમારી સંયમ-આરાધનામાં સહાયક બની શકે છે. અન્યથા તેઓ અસંયમમાં પણ સહાયક બની જાય છે! સાધુ-સાધ્વીને કયા સમયે, કેવી સ્થિતિમાં, કેટલા પ્રમાણમાં આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર, પુસ્તક ઇત્યાદિ આપવાં, એ વિષયનું જ્ઞાન હોવું જોઈએ. સાધુપુરુષોનું કર્તવ્ય :
સાધુ-સાધ્વીને પણ સારું શાસ્ત્રીય જ્ઞાન હોવું જોઈએ. તેમણે શાસ્ત્રોનું અધ્યયન સારી રીતે કરવું જોઈએ. ઓછામાં ઓછું સદાચારોનું જ્ઞાન તો હોવું જ જોઈએ. ઉત્સર્ગ અપવાદોનું જ્ઞાન હોવું જોઈએ. અનુભવી શાસ્ત્રજ્ઞ એવા સંયમી મહાપુરુષોની સેવા કરતાં જ્ઞાનપ્રાપ્તિ કરવી જોઈએ. ત્યારે જ સંયમધર્મની પરિણતિ સ્થિર થાય છે.
જો સાથી મુનિ વિશ્રામણા કરવા યોગ્ય હોય તો ગૃહસ્થની સેવા ન લેવી જોઈએ. જો વિશ્રામણા કરી શકે તેવો સાથી મુનિ ન હોય તો ગૃહસ્થ પાસે વિશ્રામણા કરાવવી જોઈએ. વિશ્રામણા કરનાર સાધુ ગૃહસ્થ કુશળ તો હોવો જ જોઈએ, સાથે ઇન્દ્રિયવિજેતા પણ હોવો જોઈએ. સાધુનું શરીર સુકોમળ હોય, આકર્ષક હોય અને વિશ્રામણા કરનાર ઈન્દ્રિયવિજેતા ન હોય તો કોઈ વાર સજાતીય આકર્ષણ પેદા થઈ શકે છે. આગળ વધીને સજાતીય સંયોગમાં પરિણત થઈ શકે છે. વિકૃતિનો જીવનમાં પ્રવેશ થઈ જાય છે. એટલા માટે સાવધાનીપૂર્વક જીવન જીવવાનું છે. વગર પ્રયોજને તો બીજાના શરીરને સ્પર્શ પણ કરવાનો નથી. પ્રયોજન હોય તો સુયોગ્ય વ્યક્તિ પાસે જ વિશ્રામણા કરાવવી જોઈએ.
જો કે વાત છે શ્રાવકની દિનચર્યાની; પરંતુ સાધુવિશ્રામણા નો વિષય હોવાથી આ બધી વાતો જણાવું છું - એ સમજવી ખૂબ જરૂરી છે. આ સમયમાં, આ કાળમાં વધારે સતર્ક અને સાવધાન રહેવું આવશ્યક છે. એક કડવો અનુભવ
અંદાજે ૨૫ વર્ષ પૂર્વેની આ વાત છે. એક ગામમાં સંધ્યાના સમયે પહોંચ્યા. એ ગામમાં જૈન પરિવાર ન હતો. ઉપાશ્રય ન હતો. એ જ રીતે જૈન મંદિર પણ ન હતું. એ ગામના ઠાકુરની હવેલીના એક ભાગમાં અમારે રાત્રિવાસ કરવાનો હતો. ઠાકુરે અમારું સ્વાગત કર્યું. સારા ઓરડામાં ઉતારો આપ્યો. એ દિવસે લાંબો વિહાર કરવાને લીધે હું થાકી ગયો હતો. પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયા કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org