________________
ભાગ ૩
૧૦૭
સાધુના આચારવિચાર જાણતા નથી. એટલા માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ એ બીમાર સાધુની સેવા કરવા માટે ગામમાં પધારો.'
એ સમયે સાધુ વિચાર કરે છે ઃ ‘હું ગુરુદેવનું કામ કરવા જઈ રહ્યો છું, પરંતુ એ કાર્યથી આ કાર્ય વધારે મહત્ત્વનું છે. આ કાર્ય જિનાજ્ઞાનું છે. પહેલાં મારે એ બીમાર સાધુની સેવા કરવી જોઈએ. એમના મનને સમાધિ પ્રદાન કરવી જોઈએ. જ્યાં સુધી આ બીમાર સાધુ ઇચ્છશે ત્યાં સુધી હું તેમની પાસે રહીશ. જ્યારે તે પ્રેમથી રજા આપશે ત્યારપછી હું આગળ વિહાર કરીશ.'
એ સાધુ ગામમાં આવે છે અને એ બીમાર સાધુને પોતાનો પરિચય આપીને એમની સેવામાં જોડાઈ જાય છે.
આમજનતાના મનનું સમાધાન આવશ્યક
જે ગૃહસ્થોએ સાધુને વિનંતી કરી હતી તેઓ ખૂબ પ્રસન્ન થાય છે અને વિચારે છે ઃ “આ સાધુ કેટલા સારા છે. અણજાણ સાધુએ પણ વાત માની લીધી અને સેવા ક૨વા આવી ગયા. ખૂબ સારા છે આ સાધુપુરુષ.' બસ, આ થવું જરૂરી છે. લોકો ધર્મની અને ધર્મગુરુની પ્રશંસા કરનારા થવા જોઈએ. સાધુ પેલા બીમાર સાધુને જુએ છે, એને લાગે છે કે ‘આ સાધુ સાધુજીવનના પાલનમાં ઢીલો છે, એકલો છે, તો પણ ખૂબ પ્રેમથી તેમની સેવા કરે છે.
સૌથી પહેલાં તો ગંદાં વસ્ત્રો દૂર કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરાવે છે અને સારો સંસ્તારક પાથરીને સુવાડે છે.
બીમારના ગંદા હાથપગ પાણીથી ધોઈ નાખે છે.
– ઉપાશ્રયને સ્વચ્છ કરી નાખે છે.
બીમાર સાધુને કહે છે ઃ હવે આપ ચિંતા ન કરો, જ્યાં સુધી તમે સાજા નહીં થાઓ ત્યાં સુધી હું તમારી સેવા કરતો રહીશ. જ્યારે આપ આજ્ઞા આપશો ત્યારે હું અહીંથી જઈશ.’
બીમાર સાધુના મનમાં સંતોષ વ્યાપી જાય છે.
બીમાર સાધુ માટે દવાની અને અનુપાનની વ્યવસ્થા કરે છે. આવશ્યકતા જણાતાં વૈદ્ય યા ડૉક્ટરને બોલાવી લાવે છે.
આ બધી વાતો ગૃહસ્થ લોકો જુએ છે અને તેમના હૃદયમાં આદરભાવ જાગૃત થાય છે.
—
સાધુ બીમાર સાધુને ન તો એનો પરિચય પૂછે છે, ન તો ઉપદેશ આપે છે. એ તો બસ, સેવા કરતો જાય છે અને સાધુજીવનના ક્રિયાકલાપ સ્વયં કરતો
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org