SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રાવકજીવન પડે છે. – કેટલી સેવા લેવી? – કોની સેવા લેવી? – કયા સમયે સેવા લેવી ? વગેરે બાબતો વ્યક્તિગત અને વિવેક ઉપર આધારિત છે. આમ તો સેવા કરનારે પણ વિવેકથી સેવા કરવાની હોય છે. જેનામાં વિવેક નથી હોતો તેઓ સેવા તો કરે જ છે, પરંતુ કુસેવા કરે છે ! – દુઃખે છે પેટ અને દબાવે છે પગ ! - દુઃખે છે પગ અને દબાવે છે માથું ! – દુઃખે છે માથું અને દવા લાવે છે પેટની ! વિશ્રામણા વિવેકથી કરવાની છે - ઉચિત રીતે વિશ્રામણા કરવી જોઈએ. જેથી સાધુને વિશ્રામ મળે. થાકેલું શરીર કઈક આરામ અનુભવે. વિશ્રામણામાં વિવેક આવશ્યક ગુજરાતના એક નગરમાં અમારું ચાતુર્માસ હતું. રાજસ્થાનથી ૪-૫ મહાનુભાવો વંદન કરવા આવ્યા હતા. રાત્રિનો સમય હતો. મારી પીઠમાં થોડુંક દર્દ હતું. એ રાજસ્થાની ભાઈઓમાંથી એક ભાઈએ મારી પીઠ દબાવવાની શરૂઆત કરી દીધી. અડધા કલાક સુધી તે પીઠ દબાવતા રહ્યા. મને નિદ્રા આવી ગઈ. સવારે જ્યારે હું ઊઠ્યો તો મારી પીઠમાં બળતરા શરૂ થઈ ગઈ હતી. મારા સાધુઓને મેં કહ્યું મારી પીઠમાં બળતરા થઈ રહી છે. જરાક જુઓ તો.' સાધુઓએ જોયું તો એકદમ બોલી ઊઠ્યા: “અરે ! પાછળ તો ચામડી જ ઊખડી ગઈ છે, ઠેર ઠેર ચામડી છોલાઈ ગઈ છે. આ કેવી રીતે બન્યું?” મેં કહ્યું : “કાલ રાત્રે એ મહાનુભાવે મારી વિશ્રામણા કરી હતી. ઠીક છે, અંધારામાં તેમને ખ્યાલ નહીં આવ્યો હોય, તેમના હાથ પણ બરછટ હતા. ચામડી ઊખડી ગઈ. ખેર, એ મહાનુભાવને કહેશો નહીં. નહીંતર તેમને દુઃખ થશે. એણે તો ભક્તિભાવથી વિશ્રામણા કરી હતી. ભાવ નિર્મળ હતા.' આવી જ ઘટના મારા પરિચિત મુનિરાજે બતાવી હતી. તેમણે કહ્યું: “એક દિવસે અમે ૨૫ કિલોમીટર ચાલ્યા. ખૂબ થાકી ગયા હતા. અમે ત્રણે સાધુઓ થાકી ગયા હતા. કોણ કોની સેવા કરે? એટલામાં ગામનો એક ભક્ત શ્રાવક આવ્યો. અસ્થા વંમ ! બોલ્યો અને મારા પગ ઉપર તૂટી પડ્યો. જોરજોરથી દબાવવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy