SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૧૦૩ હાડકાંનાં સંધિસ્થાનની મજબૂતી યા કમજોરપણાનો આધાર “સંઘયણ’ પર હોય છે. સેવાર્ત' સંઘયણ, ખૂબ કમજોર હોય છે. આ સંઘયણવાળાંનાં હાડકાં પરસ્પર માત્ર જોડાયેલાં જ હોય છે. થોડોક ધક્કો વાગતાં તે તૂટી શકે છે. સાર્થક નામ છે આપણા સંઘયણનું ! “સેવા સેવા + માર્ત સેવાર્ત ! શરીરની સેવા કરવાથી એની આતતા દૂર થઈ જાય છે. સ્નાન માલિશ-મર્દન કરતા રહો ત્યારે જ તે કામ આપશે. પ્રકૃતિ અનુસાર ભોજન-પાણી આપતાં રહેશો તો જ કામ કરશે, અન્યથા અટકી જશે. પગ દુઃખશે, હાથ દુઃખશે, શરીરમાં દર્દ થશે, પીઠમાં દર્દ થશે, દાંતોમાં દર્દ થશે. જેમ જેમ હાડકાં કમજોર બનતાં જશે તેમ તેમ શરીર ઢીલું પડશે ! તેની સેવા કરવી જ પડશે. પછી જાતે સેવા કરો કે બીજાંની પાસે કરાવો. સંસારી હો યા સાધુ હો, શરીરના ગુણધર્મો તો તે જ રહેશે. સાધુઓને પણ ‘સેવાર્ય સંઘયણ જ હોય છે. સાધુનું સંઘયણ પણ સેવાર્તઃ આને કારણે સાધુને પણ શરીરની સેવા કરવી પડે છે. કેટલીક શારીરિક તકલીફોમાં સાધુ જાતે જ પોતાના શરીરની સેવા કરી લે છે. પરંતુ કેટલાંક દર્દોમાં બીજાંની સેવા આવશ્યક બની જાય છે. - અતિ ત્રાસદાયક શિરદર્દ થઈ જતાં, – પૃષ્ઠ ભાગ(પીઠ)માં દર્દ થઈ જતાં, – ખૂબ તાવ આવી જતાં, - કેન્સર વગેરે જીવલેણ બીમારી થઈ જતાં, - પગમાં અતિ દર્દ થઈ જતાં, - આંખોમાં વધારે વેદના થઈ જતાં, સાધુઓ અને સાધ્વીઓને બીજાની સેવા લેવી પડે છે. સભામાંથી સાધુઓ તો રોગ સહન કરનારા હોય છે ને? મહારાજશ્રી બધા નહીં, ઘણા ઓછા સાધુઓ સમતાભાવથી રોગ સહન કરે છે. જેમનામાં દૃઢ સહનશીલતા હોય છે, તેઓ કોઈની સેવા લેતા નથી. દવા પણ નથી લેતા. પરંતુ વધારે પ્રમાણમાં સમતાભાવથી રોગ સહન કરી શકતાં નથી, અને જો સહન કરે છે તો તેમનાથી ધ્યાન-જ્ઞાન થઈ શકતાં નથી, સંયમ-જીવનની કેટલીક દૈનિક ક્રિયાઓ થઈ શકતી નથી, એટલા માટે તેમને બીજાંની સેવા લેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy