________________
(પ્રવચન : પ૭)
પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક ધર્મનું નિરૂપણ કરે છે. તેમણે સંધ્યાકાલીન ત્રણ પ્રકારની ધર્મઆરાધના બતાવી. પૂજાની સાથે ચૈત્યવંદન, સાધુવંદના અને માતાપિતાને વંદના - આટલી ધર્મઆરાધના બતાવ્યા બાદ તેમણે કહ્યું છે :
साधुविश्रामणा-क्रिया ॥४४॥ જ્યારે સાધુ-મુનિરાજને તમે વંદન કરવા જાઓ, ત્યાં સાધુપુરુષોને દિનપર્યત સ્વાધ્યાય-ધ્યાન વગેરે નિવર્ણિસાધક યોગોની આરાધના કરવાથી શ્રમિત જુઓ તો તેમની વિશ્રામણા કરવી જોઈએ. આ વિષયમાં મારે કેટલીક વિશિષ્ટ વાતો આજે કરવી છે. એ પહેલાં એક મહત્ત્વની વાત જિનચૈત્ય અંગે કરવાની છે. એ વાત છે – આરતી ઉતારવાની અને મંગલદીપ કરવાની. જિનચૈત્યમાં સામુદાયિક આરતી કરો :
ભલે ગૃહચૈત્ય હોય કે સંઘત્ય હોય, સંધ્યાસમયે તમે દર્શન કરવા જાઓ છો ? સંધ્યાકાલીન પૂજા કરવાની ક્રિયા આજકાલ થતી નથી. કદાચ તમે લોકો ભૂલી ગયા છો. પરંતુ કેટલાક લોકો દર્શન કરવા જાય છે. તમે દર્શન - ચૈત્યવંદન કરીને પરમાત્માની આરતી ઉતારો. આરતીમાં આસપાસ રહેનારા લોકોએ સામુદાયિક રૂપમાં આરતી ઉતારવી જોઈએ. લયબદ્ધ ઘંટારવ થતો હોય અને બધા લોકો એક રાગમાં આરતી ગાતા હોય, તો એક અદ્ભુત વાતાવરણ ઊભું થાય
એવા કેટલાંક ગામોમાં અમે ગયા છીએ અને કોઈક મંદિરની સામે જ રાત્રિનિવાસ કરવાની જગા મળી છે. ત્યાં અમે બે-ત્રણ ગામમાં સામુદાયિક આરતીનું દ્રશ્ય જોયું છે. હું તો મારાં બીજાં કાય છોડીને આરતી સાંભળતો હતો. ત્યાં મંદિરમાં બાળકો હતાં, મહિલાઓ હતી અને મોટા પુરુષો પણ હતા. ૨૦/૨૫ માણસો હશે. એ લોકો સંસ્કૃતના ચાર-પાંચ શ્લોકો બોલ્યા. આરતી ગાઈ, ઉતારી. પરંતુ શાસ્ત્રીય રાગમાં લયબદ્ધ અને તાલબદ્ધ! તમે લોકો તમારા ચૈત્યમાં કેવી રીતે આરતી ઉતારો છો? મંદિરનો પૂજારી હોય છે અને એક-બે પુરુષ અથવા ૧-૨ સ્ત્રીઓ હોય છે. જલદી જલદી આરતી ઉતારી દે છે, મંગલદીપ પણ કરી દે છે. આસપાસ ૧૦૧૫ ઘર જૈનનાં હોવા છતાં પુરુષો દુકાને હોય છે અને સ્ત્રીઓ ગૃહકાર્યમાં વ્યસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org