________________
ભાગ ૩
જાણું છું. તેં એમના ગુણોનું અનુસરણ કેમ ન કર્યું ? તેમનામાં પરોપકારનો ખૂબ મોટો ગુણ છે ને ? તું પરોપકારી ન બન્યો ? નહિ ને ? તેમનામાં ઉદારતાનો ગુણ છે ને ? શું તું ઉદાર બન્યો ? તેમનામાં પરિમિત બોલવાનો ગુણ છે ને ? તું પરિમિતભાષી બન્યો ? તેં જુગાર ખેલવાની શરૂઆત કરી, કારણ કે તારા પિતા જુગાર રમતા હતા. તેં શરાબ પીવાની શરૂઆત કરી, કારણ કે તારા પિતા શરાબ પીએ છે.
તેં દોષ અને વ્યસનોનું અનુકરણ કર્યું. શું તારા પિતાએ કહ્યું હતું કે તું શરાબ પીજે, તું જુગા૨ ૨મજે ?
2)
છોકરાએ કહ્યું ઃ ‘આમ તો તેઓ કોઈ કોઈ વાર તેમના વ્યસનોનાં દુષ્પરિણામો મને બતાવતા હતા. કોઈ કોઈ વાર તો એમની આંખો ભરાઈ જતી. તેઓ જુગાર અને શરાબને સારાં માનતા નથી.’
મેં કહ્યું : ‘આ વાત સામાન્ય નથી. પોતાના દોષોનો પશ્ચાત્તાપ કરવો એ સામાન્ય વાત નથી. દોષોને ખરાબ માનવા એ ખૂબ મોટી વાત છે. વ્યસનોનાં ખરાબ પરિણામ સાંભળીને તારે એમનાથી દૂર રહેવાનું હતું, પરંતુ તું દૂર ન રહ્યો, વ્યસનોમાં ફસાઈ ગયો. તારા પિતાને આ વાતનું ઊંડું દુઃખ છે. મારી સામે એમણે દુઃખ પ્રકટ કર્યું છે.’
ગુણ જોવાથી પ્રેમ થશે :
કામ સરળ નથી. પ્રત્યક્ષ દોષ જોવા છતાં પણ મનમાં દુર્ભાવ ન આવવો એ મુશ્કેલ કામ છે; પરંતુ ઉપકારીના દોષોને મહત્ત્વ ન આપવું, એની ચર્ચા ન કરવી, નિંદા ન કરવી. એમના વિષયમાં ગંભીર બનવું.
સભામાંથી : જ્યાં અમારો સ્વાર્થ હોય છે ત્યાં અમે દોષોની ઉપેક્ષા કરીએ જ છીએ. જ્યાં સ્વાર્થ નથી હોતો ત્યાં દોષોને મહત્ત્વ આપીએ છીએ.
મહારાજશ્રી : જ્યાં સુધી બાળકો માતાપિતાના આશ્રયે હોય છે ત્યાં સુધી માતાપિતાના દોષની ચર્ચા નથી કરતાં; પરંતુ તેમના હૃદયમાં દોષોને સંઘરી રાખે છે. જ્યારે સ્વયં કમાવા લાગે છે ત્યારે દોષકથનની શરૂઆત કરી દે છે !
મારા એક પરિચિત છોકરાને મેં પૂછ્યું : “શું માતાપિતાના ચરણોમાં દરરોજ પ્રણામ કરે છે ?’
તેણે કહ્યું : ‘S.S.C. માં આવ્યો ત્યાં સુધી કરતો હતો, પરંતુ પાછળથી છૂટી ગયું છે.’ મેં પૂછ્યું : ‘કેમ ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org