________________
૯૮
શ્રાવકજીવન
પાડોશીના છોકરાની સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વાતનો માતા, ભાઈ કોઈને ખ્યાલ ન આવ્યો. એક દિવસે બંને જણાંએ લગ્ન કરી લીધાં.
છોકરીએ કહ્યું ઃ માનો ખૂબ ત્રાસ હતો; તે છૂટી ગઈ. એ છોકરા સાથે મને આકર્ષણ હતું, પરંતુ મેં લગ્ન કર્યું માના ત્રાસમાંથી છૂટવા માટે. પાછળથી માને ખૂબ દુ:ખ થયું, પરંતુ એ હવે શું કરી શકે ? તે પોતાનો સ્વભાવ બદલવા તૈયાર
ન હતી.
છોકરી ચાલી ગઈ, છોકરાએ લગ્ન કરી નાખ્યું. પુત્રવધૂ ઘરમાં આવી. થોડાક દિવસો ગયા. સાસુએ પુત્રવધૂ સાથે ઝઘડા શરૂ કર્યા. સાથેસાથે પુત્રની સાથે પણ ઝઘડવા લાગી. પરિણામ શું આવ્યું હશે તમે કલ્પના કરી શકો છો. પુત્ર અને પુત્રવધૂ તેનાથી જુદાં થઈ ગયાં. ઘરમાં એકલી વૃદ્ધા રહી ગઈ. છોકરો અને છોકરી હોવા છતાં પણ તે અનાથ બની ગઈ.
આવી મા શું બાળકો માટે પૂજનીય-વંદનીય બની શકે ? આવી માતા કહે કે ‘મારાં બાળકો મારું કહ્યું માનતાં નથી.’ તો એનો શો ઉપાય થઈ શકે ? જ્યાં સુધી માતાપિતા સ્વયં પોતાનું ચરિત્ર સારું ન બનાવે ત્યાં સુધી તે પૂજ્ય ન બની શકે. તે જ્યાં સુધી તેઓ પોતાનો વ્યવહાર સારો ન કરે ત્યાં સુધી તે વંદનીય ન બની શકે. માતાપિતા પ્રત્યે :
ન
જે રીતે માતાપિતાએ પોતાના જીવનમાં ફરજો નભાવવાની છે, એ જ રીતે બાળકોએ પણ પોતાનાં કર્તવ્યોનું પાલન કરવાનું જ છે. બાળકો જો ઇચ્છે કે માતાપિતામાં એક પણ દોષ ન હોવો જોઈએ, તો તે ખોટી માન્યતા છે. સંસારમાં કોઈ પણ મનુષ્ય - સિવાય સર્વજ્ઞ - વીતરાગ પૂર્ણરૂપે દોષરહિત નથી હોતો. માતાપિતાનો દોષ જોઈને એમના પ્રત્યે દ્વેષ ન કરવો. ક્ષમા કરો અને એમના પ્રત્યે સદ્ભાવ રાખો. એમના તમારી ઉ૫૨ જે કંઈ ઉપકાર થયા છે, એ ઉ૫કા૨ જ સ્મૃતિમાં લાવો.
હું તમને પૂછું છું કે જ્યારે તમે માતાપિતા બનશો ત્યારે સર્વગુણસંપન્ન બનશો ? તમારાં બાળકો અપેક્ષા રાખશે કે અમારાં માતાપિતા આવાં આવાં હોવાં જોઈએ.’ શું તમે એમની તમામ અપેક્ષાઓ પૂર્ણ કરી શકશો ? તમારાં બાળકો તમને પ્રેમ નહીં કરે, આદર નહીં આપે, તો તમને દુઃખ નહીં લાગે ?
એક છોકરો મારી પાસે આવ્યો. કેટલાંક વ્યસનોમાં ફસાયો હતો. મેં એને કહ્યું ઃ ‘તારામાં આટલા બધા દોષ ક્યાંથી આવ્યા ?’ તેણે તરત જ પ્રત્યુત્તર આપ્યોઃ ‘મારા પિતા પાસેથી.' તેણે તમામ દોષ પિતા ઉપર ઠોકી બેસાડ્યા. મેં કહ્યું : ‘હું જાણું છું તારા પિતાને, તેમના વ્યસનોનો મને ખ્યાલ છે. એ રીતે તેમના ગુણો પણ હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org