SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ શ્રાવકજીવન સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે : 'અતિપરિચયાત્ અવજ્ઞા ।' સાધુઓનો અતિ પરિચય, ગૃહસ્થોને સાધુઓ પ્રત્યે દોષવૃષ્ટિવાળા બનાવી દે છે. દોષવૃષ્ટિવાળો મનુષ્ય સાધુઓમાં ગુણ જોઈ શકતો નથી. દોષ જ જોશે અને અવર્ણવાદ જ કરતો રહેશે. એક વાત ધ્યાનથી સાંભળી લો. સાધુઓને વંદન કરવાનો ભાવ ન જાગે તો વંદન ન કરવા, પરંતુ કદીય સાધુઓની નિંદા ન કરવી - અવર્ણવાદ ન ક૨વો. સાધુની નિંદા કરવાથી નિકાચિત ‘નીચ ગોત્ર કર્મ' બંધાય છે. અનેક જન્મો સુધી નીચ ગોત્રમાં જન્મ લેવા પડશે. ભલે તમે નિંદા કરો, પરંતુ સાધુનું કશું ય બગડવાનું નથી. એ તો બીજે ગામ ચાલ્યા જશે. દેશ ખૂબ વિશાળ છે. માતાપિતાને વંદન કરો : સંધ્યાકાલીન ધર્મઆરાધનામાં પહેલી આરાધના છે જિનચૈત્યમાં પૂજા અને ચૈત્યવંદના. બીજી વાત છે સાધુવંદના અને ત્રીજી વાત છે માતાપિતાને વંદન. જો તમારે માતાપિતા હોય, તમારી સાથે રહેતાં હોય, તો સંધ્યાસમયે તેમની ચરણવંદના કરો. ત્રિસંધ્યું નમનક્રિયા' દિવસમાં ત્રણ સંધ્યા હોય છે. ત્રણે સમયે માતાપિતાને નમન કરવાનાં છે. કદી ય નહીં કરતા હો, તમે માતાપિતા છો, તો તમારાં બાળકો તમને ત્રિકાલ નમન કરે છે ? નહીં જ ને ? ઘરમાં આ પરંપરા ચાલી આવતી હોત તો ક૨ત ! તમે પરંપરા ચાલુ નથી રાખીને ? પરંતુ એક વાત કહીશ, તમારે ખોટું ન લગાડવું. તમારા લોકોનું એવું પવિત્ર અને પરોપકારી જીવન છે ખરું કે જેથી તમારાં બાળકોમાં તમારા પ્રત્યે સ્નેહભાવ રહે ? સહજરૂપે તેમનું મસ્તક તમારા ખોળામાં ઢળી પડે ? પૂજ્ય અને વંદનીય બનવા માટે કેટલોક ત્યાગ કરવો પડે છે. કંઈક સંયમ રાખવો પડે છે. જીવનપદ્ધતિમાં ખૂબ પરિવર્તન કરવું પડશે. ‘સેલ્ફ’ (મે, ૧૯૮૯ ન્યૂ યૉર્કથી પ્રકાશિત) પુસ્તકના લેખક ડેનિસ ગ્રાન્ડી’એ લખ્યું છે ઃ “મારા પિતા પણ પીનારા હતા, ચુસ્ત શાલીન હસમુખ વ્યક્તિ હતા. તેમણે મદિરાપાન કરીને પોતાની જિંદગી બરબાદ કરી નાખી. તેમનો નશો કરવો અને મારી માનું વિફરવાનું, મારા બાળપણમાં મને જોવા મળ્યા, એ મારા જીવનનું એક અત્યંત દુઃખદ પાસું રહ્યું છે. પોતાનાં માતાપિતાને લીધે સંતાપ અને વિતૃષ્ણાની ભાવના. હું એ વાતનો ઇન્કાર નથી કરતો કે પીનાર માબાપ હોવું એ ક્રાન્તિકારીપણું છે. એમનું શરાબી હોવું એ એમના આત્માભિમાનને નષ્ટ કરીને એમના જીવનમાં સદાને માટે નિરાશાની ભાવના ભરી દે છે.’ લેખકે આ પુસ્તકમાં બીજે સ્થળે લખ્યું છે : ‘હું એ અનુભવ કરવા લાગ્યો છું કે એક બાળકનો વિશ્વાસ અને આદર કેટલાં કોમળ અને પ્રિય હોય છે. અને હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy