SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રાવકજીવન ચૈત્યવંદન કરો ત્યારે તમારી સાથે બાળકને પણ એ કરાવતા રહો, જો ઘ૨માં બાળકો હોય તો. સંઘમંદિરમાં પણ બાળકોને સાથે લઈ જઓ, જો તેઓ તમારી વાત માનતા હોય તો. આજકાલ તો આ પ્રશ્ન પણ ઊભો થયો છે કે ‘બાળકો અમારું માનતાં નથી.’ હું પૂછું છું કે તે તમારું કહેવું કેમ માનતાં નથી ? કારણ શોધવું જોઈએ. સંધ્યાના સમયે સાધુવંદના ક૨વી ઃ જો તમારા ગામમાં-નગરમાં સાધુ-મુનિરાજ બિરાજતા હોય, તો તમે એમની પાસે જઈને વિધિપૂર્વક વંદના કરો. જો સાધુપુરુષ ન હોય તો ભાવવંદના કરો. પરંતુ સાધુપુરુષોની સ્મૃતિ અવશ્ય કરો. વંદના કરતી વખતે તમારા મનમાં એ વિચાર આવવો જોઈએ કે મારે જીવનમાં કોઈક વાર સાધુતાનો સ્વીકાર કરવાનો છે, પાલન કરવાનું છે. મૃત્યુ પૂર્વે સાધુ બનવાનું જ છે. તમારો આદર્શ સાધુતા જ છે ને ? આ મનુષ્યજીવન માત્ર અર્થ-કામના પુરુષાર્થમાં જ પૂર્ણ કરી દેશો, તો મોટી ભૂલ ગણાશે. સાધુતાનો આદર્શ હશે અને કદાચ અચાનક આયુષ્ય પૂર્ણ થઈ ગયું, તો કોઈ ચિંતા નહીં. સાધુતાની ભાવના સાથે મૃત્યુ થયું, તો મૃત્યુ પછી એવું જીવન પ્રાપ્ત થશે કે નાની ઉંમરે જ વૈરાગ્ય પ્રાપ્ત થશે અને સાધુતા પામશો. આમ તો સવાર-બપોર અને સાંજ આ ત્રણ સમય ત્રિકાળવંદના કરવાનું શાસ્ત્રીય વિધાન છે. ત્રણ સમય કરો તો ઉત્તમ છે, નહીં તો સવાર-સાંજ તો વંદના ક૨વી જ જોઈએ. સવારે નવા દિવસનો પ્રારંભ થાય છે ને ? દિવસના પ્રારંભે ધર્મલાભ’નો આશીર્વાદ મેળવવો જોઈએ. સાંજે દિવસની પૂર્ણાહુતિ થાય છે અને રાત્રિનો પ્રારંભ થાય છે, એ સમયે પણ ‘ધર્મલાભ’નો આશીર્વાદ પામવો જોઈએ. આ આશીર્વાદ મંગળરૂપ છે. એમાં પણ સાધુપુરુષ પ્રસન્નચિત્તથી ધર્મલાભ’નો આશીર્વાદ આપે તો તમારો ઉદ્ધાર થઈ જાય. સભામાંથી : કેટલીક વાર એવો અનુભવ થાય છે કે અમે વંદન કરીએ છીએ, પરંતુ સાધુપુરુષ ધર્મલાભ' બોલતા નથી. મહારાજશ્રી : વંદન કરવા કયા સમયે જાઓ છો ? કયા સમયે વંદન કરો છો? કેટલાક લોકોને સમયનો વિવેક નથી હોતો. અમારા પણ અનુભવો છે ને ? એક ગામમાં એક ભાઈ ગોચરીના સમયે જ વંદન કરવા આવતા હતા. ગોચરી માટે બેસતા હોઈએ અને એમનો ઉપાશ્રયમાં પ્રવેશ થાય.... મહારાજ સાહેબ, મને વંદન કરવા દો.' ખોટો સમય હતો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy