SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ પચ્ચખ્ખણ લેવું વિનયશુદ્ધિ છે. - ગુરુદેવ જ્યારે પચ્ચખ્ખાણ-સૂત્ર બોલતા હોય ત્યારે પચ્ચખ્ખાણ લેનારે પણ મનમાં આ સૂત્ર બોલવું જોઈએ. માનસિક અનુભાષણ કરવું જોઈએ. આ રીતે અનુભાષણ કરવાથી પચ્ચખ્ખાણ લેનારની સ્મૃતિ વૃઢ બને છે કે મેં અમુક પચ્ચખાણ લીધું છે.” જે પચ્ચખાણ લીધું હોય તેનું દ્રઢતાપૂર્વક અનુપાલન કરવું જોઈએ. વિચારવું કે "હું દૃઢતાપૂર્વક લીધેલા પચ્ચખ્ખાણનું પાલન કરીશ. ગમે તેવાં કષ્ટ આવી પડે. હું પચ્ચખાણનો ભંગ નહીં કરે. પ્રાણ જાય તો ભલે જાય, મારી પ્રતિજ્ઞા અખંડ રહેશે.” આ અનુપાલન-શુદ્ધિ કહેવાય છે. સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે ભાવશુદ્ધિ ! – આ તપશ્ચયથિી, આ પચ્ચખ્ખાણથી મને લોકોનાં માન-સન્માન ન જોઈએ. – પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા ન જોઈએ. - પ્રશંસાનાં પુષ્પો ન જોઈએ. - ન તો મારે નરેન્દ્ર બનવું છે કે ન તો દેવ-દેવેન્દ્ર બનવું છે. - મારે મારા આત્માને વિશુદ્ધ કરવો છે. - મારે મારા આત્મા ઉપર લાગેલાં કર્મોનો નાશ કરવો છે. - મારે મારી વાસનાઓને બાળી નાખવી છે. – મારે શુભ ભાવનાઓમાં રમવું છે. – તપશ્ચયથી મારે આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, અન્ય કશું નહીં! આ છે ભાવશુદ્ધિ. પચ્ચખ્ખાણની પવિત્ર ક્રિયાની સાથે આ છ પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ. આ શુદ્ધિઓ ભાવનાત્મક છે. આ શુદ્ધિઓની સાથે કરવામાં આવેલી પચ્ચખાણની ક્રિયા વિશિષ્ટ ફળ આપનારી છે. તે પ્રભાવોત્પાદક બને છે. પચ્ચખ્ખાણનાં વિવિધ ફળઃ પચ્ચખાણનાં બે પ્રકારનાં ફળ તીર્થકર ભગવંતોએ બતાવ્યાં છે - ઈહલૌકિક અને પારલૌકિક. પારલૌકિક ફળ બે પ્રકારનાં બતાવ્યાં છે : સ્વર્ગનું સુખ અને અપવર્ગનું સુખ ! ઈહલૌકિક ફળ અનેક પ્રકારનાં બતાવ્યાં છે ? – રોગી નીરોગી બને છે. – નિધન ધનવાન બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy