SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ શ્રાવકજીવન "કાળથી અભિગ્રહ કરવો હોય તો “રોજ હું બાર વાગે ભોજન કરવા ઘેર આવું છું. આજે હું એક વાગે ભોજન કરવા આવીશ. એ સમયે ભોજન મળશે તો ભોજન કરીશ." આ રીતે બે વાગ્યાનો, ત્રણ વાગ્યાનો અભિગ્રહ કરી શકો છો. જો કે તમારે માટે આ અભિગ્રહ સરળ છે, કારણ કે તમારા ઘરવાળાં ભોજનની થાળી ઢાંકીને રાખી મૂકે છે ! અથવા ટીફીન દુકાને મોકલી દે છે ! આ અભિગ્રહ અમારી કસોટી કરી દે છે ! અમે સાધુ-સાધ્વી આ અભિગ્રહ કરીએ કે "આજે ભિક્ષાવેળા વીતી ગયા પછી ભિક્ષા લેવા જઈશ. જો ભિક્ષા મળશે તો આહાર કરીશ, અન્યથા ઉપવાસ !” ભિક્ષાનો સમય, તમારા લોકોના ઘરોમાં ભોજનનો સમય વીતી ગયા પછી અમને ક્યારેક ભિક્ષા નથી પણ મળતી ! ૨૫ વર્ષ પૂર્વે અમે મારવાડ ગયા હતા ત્યારની વાત છે. એક વાર અમે વિહાર કરીને ગામમાં મોડા પહોંચ્યા. ભોજનનો સમય વીતી ગયો હતો. હું ગોચરી લેવા ગયો હતો. પહેલા જ ઘરમાંથી અવાજ આવ્યો: "બાવની, જિમ લિયા હૈ.” મેં કહ્યું : “થે જિમ લિયો, પરંતુ મેં કરે જિમિયા ?" મને યાદ છે, એ દિવસે અમે સાંજના પાંચ વાગે ગોચરી કરી હતી ! "ભાવથી અભિગ્રહ તમે આ રીતે કરી શકો છો - "આજે મારી પત્ની હસતીહસતી ભોજન પીરસશે, તો જ હું ભોજન કરીશ !” સભામાંથીઃ એ દિવસે ઉપવાસ કરવો હોય તો જ આવો અભિગ્રહ કરવો જોઈએ ! મહારાજશ્રી : શું શ્રીમતીજી કદી હસતાં હસતાં ભોજન નથી પીરસતાં? સભામાંથીઃ એવું ભાગ્ય અમારા લોકોનું નથી ! મહારાજશ્રી : અભિગ્રહ કરશો તો સંભવતઃ ભાગ્યનાં દ્વાર ખૂલી જશે, પરંતુ અભિગ્રહ કરતી વખતે "મારી કસોટી થવાની છે” એવું સમજીને જ અભિગ્રહ કરવાનો છે. ઉપવાસની તૈયારી રાખવાની ! કાયાને કષ્ટ આપવા - સ્વેચ્છાએ કષ્ટ સહન કરવા જ તપશ્ચર્યા કરવાની છે. સ્વેચ્છાએ શરીરને કષ્ટ આપવાથી ખૂબ કમનિર્જરા થાય છે. પાપકર્મોનો નાશ થાય છે. પુણ્યકર્મ બંધાય છે. ૯. નવમું પચ્ચખાણ “દિવસ ચરિમ"નું હોય છે. આ પચ્ચખાણ સૂર્યાસ્ત સમયે કરવામાં આવે છે. રાત્રિભોજનના ત્યાગનું આ પચ્ચકખાણ છે. “ચોવિહારનું પચ્ચખ્ખાણ કરવાથી સૂર્યાસ્ત પછી ભોજન કરી ન શકો, પાણી પણ ન પી શકો. તિવિહાર"નું પચ્ચખ્ખાણ કરવાથી સૂર્યાસ્ત પછી પાણી પી શકો છો. સૂર્યાસ્ત પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy