SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ દવા લેવાની હોય તો "દુવિહારનું પચ્ચક્ખાણ કરી શકો છો. ૧૦. દશમું પચ્ચક્ખાણ છે "વિગય-ત્યાગનું. "વિગય" પ્રાકૃત શબ્દ છે. સંસ્કૃતમાં ‘વિકૃતિ’ કહે છે. જે મનમાં વિકાર પેદા કરે, તેને ‘વિગય-વિકૃતિ' કહેવામાં આવે છે. આ રીતે ૬ ભક્ષ્ય વિગય ગણાવી છે - ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ, સાકર અને તળેલી વસ્તુઓ. ૭૯ દરરોજ આ વિગઈઓમાંથી એક...બે...ત્રણ... નો ત્યાગ કરવો જોઈએ. જેટલો ત્યાગ કરી શકો તેટલો કરવો જોઈએ. સવારે સવારે જ અભિગ્રહ કરી લેવો જોઈએ :: "આજે હું ઘી અને દહીંનો ત્યાગ કરીશ.” કોઈ વાર "આજે હું તમામ વિગયનો ત્યાગ કરીશ.” એ રીતે પણ ત્યાગ કરી શકો છો. જો નિર્વિકારી મનઃસ્થિતિ ઇચ્છતા હો તો વિગય-ત્યાગ કરવો જ જોઈએ. દરેક પચ્ચક્ખાણ સાપવાદ હોય છે ઃ આ તમામ પચ્ચક્ખાણો સારાં છે. મનોનિગ્રહ અને ઇન્દ્રિયસંયમ ક૨વાની દૃષ્ટિએ જ તીર્થંકરોએ આ તપશ્ચર્યા બતાવી છે, આ બધાં પચ્ચક્ખાણ બતાવ્યાં છે. જો આ વર્તમાન જીવનમાં પણ શાન્તિ, સમતા અને પ્રસન્નતા ઇચ્છતા હો તો મનોનિગ્રહ અને ઇન્દ્રિયસંયમ કરવો જ પડશે. પચ્ચક્ખાણ ધર્મ ખૂબ ઊંચો ધર્મ છે. જે પ્રકારે અને જેટલો ઇચ્છો તેટલો આચરી શકો છો ! સભામાંથી : સારો તો લાગે છે, પરંતુ ‘કદાચ પ્રતિજ્ઞા તૂટી ગઈ તો ?’ એવો ભય લાગે છે. “એકાસણું કરીશું, પરંતુ ભૂલથી મોંમાં કશુંક નખાઈ જશે તો ? પચ્ચક્ખાણનો ભંગ થઈ જશે, પાપ લાગશે, એટલા માટે પચ્ચક્ખાણ કરવું જ નહીં !' આવા વિચાર આવે છે. મહારાજશ્રી : આવો ભય ન રાખવો જોઈએ. કદાચ ભૂલમાં ઉપવાસ વખતે મોઢામાં સોપારી અથવા બીજું કંઈ નાખી દીધું તો પચ્ચક્ખાણનો ભંગ થતો નથી. મોઢામાં નાખતાં જ તમને યાદ આવી જાય કે "અરે ! આજે તો મારે ઉપવાસ છે.” તમે થૂંકી નાખો. જો પેટમાં પહોંચી ગયું તો કોઈ ચિંતા નહીં, વમન ન કરવું. આપણા જૈનધર્મનાં તમામ પચ્ચક્ખાણો સાપવાદ હોય છે. દરેક પચ્ચક્ખાણ સાગારસાપવાદ હોય છે. "અપવાદ” માટે આપણે ત્યાં "આગાર” શબ્દનો પ્રયોગ થાય છે. દરેક પચ્ચક્ખાણ સાગાર-સાપવાદ હોય છે. એ આગારોને સંક્ષેપમાં સમજાવું છું. એ સમજવાથી તમારા મનમાં જે ભય છે, તે ભય દૂર થઈ જશે, અને તમે મજાથી પચ્ચક્ખાણ કરી શકશો. હા, જાણીબૂજીને જો તમે આ આગારોનું-અપવાદોનું સેવન કરશો તો પચ્ચક્ખાણનો ભંગ થઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy