SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૭૩ ઉત્પન્ન થાય, કારણ કે તમારે તો બાળકોમાં મા-બાપ પ્રત્યે પૂજ્યભાવ ઉત્પન્ન કરવાનો છે. પૂજ્યભાવ અખંડ રાખવાનો છે. તો જ તેઓ મા-બાપનો વિનય કરશે. તેમની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરશે. માતા-પિતાએ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. જે તેમને બાળકોનો પ્યાર જોઈતો હોય, આદર અને વિનય જોઈતાં હોય તો સમજી-વિચારીને તેમના અપરાધોની સજા કરવી પડશે. સાવધાનીપૂર્વક જ સુધારવાનો પ્રયત્ન કરવો પડશે. સભામાંથી બાળક જ્યારે બગડી જાય છે ત્યારે અમે લોકો તેને બોર્ડિંગમાં મૂકી આવીએ છીએ. મહારાજશ્રી એનાથી તો બાળકનો માતા-પિતા સાથેનો સંબંધ તૂટી જાય છે. બોર્ડિંગમાં જઈને શું બાળક સુધરી જાય છે ? સંભવ છે કે કોઈ વ્યસની છોકરા સાથે એને દોસ્તી થઈ જાય અને એનું જીવન બરબાદ થઈ જાય. તે છોકરો ધીમે ધીમે “સ્વકેન્દ્રિત” થતો જશે. દરેક વાતમાં, હર પ્રસંગમાં તે પોતાનો વિચાર પહેલો કરશે. પારિવારિક પ્રેમ વિકસશે નહીં. બોર્ડિંગમાં ગૃહપતિ એક હોય છે અને છોકરાઓ સો-બસો હોય છે. એક વ્યક્તિ આટલા બધા છોકરાઓનું જીવન-નિમણિ કેવી રીતે કરી શકે? વાસ્તવમાં મા-બાપે સ્વયે છોકરાને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિરાશ ન થવું જોઈએ. બુદ્ધિ અને જ્ઞાનથી સુધારવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ઉપસંહાર : - આપણા ભારતીય ધર્મોની આ સંસ્કૃતિ છે - "માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.” ધર્મવૈદિક હોય, બૌદ્ધ હોય કે જેન હોય. સાંસ્કૃતિક ધરાતલ એક જ છે. સવારે ઊઠીને સૌ પ્રથમ પરમાત્મ-સ્મરણ કરવું, ઈષ્ટ દેવની સ્તુતિ કરવી અને માતાપિતાની ચરણવંદના કરવી. આ સર્વ વાતો સર્વધર્મમાન્ય છે. સર્વ ધર્મગુરુઓ આ સંસ્કતિનો ઉપદેશ આપે છે. છતાં પણ પરિસ્થિતિ દિન-પ્રતિદિન બગડતી જાય છે. આવું કેમ થઈ રહ્યું છે. તેનાં કારણ બતાવ્યા છે. પરિસ્થિતિ સુધારવી છે. સાર્વત્રિક પરિસ્થિતિ સુધારવી મુશ્કેલ છે, અસંભવ જેવી છે. પરંતુ પોતાના પરિવારની પરિસ્થિતિ કંઈક અંશે સુધારી શકો છો. તમે માતા-પિતા અંતઃકરણથી ઇચ્છો તો સુધારો થઈ શકે છે. બદલાતાં નૈતિક મૂલ્યોનું. ધાર્મિક મૂલ્યોનું તેમજ સામાજિક મૂલ્યોનું ગંભીર અધ્યયન કરવાથી આપણા પરિવારોની સુરક્ષાના ઉપાયો કરી શકાય છે. પારિવારિક સમસ્યાઓનો પણ અંત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy