SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શ્રાવકજીવન બાપો આવું કરે છે તેઓ પોતાના બાળકોના દોષ ઉપર પડદો પાડે છે. અનુશાસનનાં તમામ આધારો સમાપ્ત કરી રહ્યા છે અને બાળકોને નિયંત્રણમાંથી બહાર જવા માટે ઉકેરી રહ્યા છે. જો તમારા મનમાં તમારા બાળકો માટે હિતકામના હોય તો જલદી કરો. તમારા બાળકો ઉપર નશાખોરીની આદતવાળાઓનો પ્રભાવ પડી ચૂકે તે પહેલાં તમે એમને બચાવી લો. પહેલાંથી જ સુરક્ષાની તૈયારી કરી લો જેથી તમે સંકટમાંથી બચી જાઓ. બાળકોને કેવી રીતે સમજાવશો ? આજકાલ પાનવાળાની દુકાનેથી પણ નશીલી સિગારેટ અને નશાવાળાં પાન મળી જાય છે. એક-બે વાર કોઈક દુષ્ટ મફતમાં સિગારેટ પાઈ દીધી, પાન ખવડાવી દીધું.બસ, પછી એના વગર રહેવાતું નથી, આદત પડી જાય છે. તમે આ વિષયની ચર્ચા બાળકો સાથે એ સમયે કરો કે તેઓ "મૂડ"માં હોય. હા, તમારે ઉપદેશ આપવાનો નથી, સહજ રીતે વાત કરવાની છે. આ રીતે તમે વાત કરી શકો છો : "કેટલાક લોકો માનસિક તાણથી મુક્ત થવા નશો કરે છે. જ્યારે આવા લોકો અત્યંત દુઃખી યાનિરાશ થઈ જાય છે ત્યારે નશો કરે છે, નશીલા પદાર્થોનું સેવન કરે છે, તો કેટલોક સમય તો તેઓ એ દુખ યા પરેશાનીથી છુટકારો મેળવી શકે છે, પરંતુ થોડાક સમય પછી દુઃખ-પરેશાની શરૂ થઈ જાય છે. આવા સમયે એ વધુ દુઃખી બને છે ! સમસ્યા આ રીતે હલ થતી નથી! - જો તે કોકીન લે છે, તો તે દવા તેના શરીરને, જેમ ઉંદર પનીર ખાઈ જાય છે તેમ ખાઈ જાય છે. દવા પોતાની અસર બતાવતી નથી. ઊલટાનું તે દવાનો બંધાણી બની ચૂક્યો હોય છે. તેના વગર તે રહી શકતો નથી. તેનું જીવન ત્રાસમય બની જાય છે. તે પછી એના મનની સ્થિતિ જોઈને કહોઃ “જો તું નશીલા પદાર્થોનો ત્યાગ કરીશ તો તને તારી મિત્રમંડળીમાંથી બહાર કાઢી મૂકવામાં આવશેને? કોઈ વાંધો નથી. મિત્રોને સમજાવવા સહેલું તો નથી, છતાં ઉચિત છે. કારણ કે તમારે એ બાળકો સાથે હંમેશાં તો રહેવાનું નથી, તમારે સ્વયં તમારી જિંદગી જીવવાની છે." એટલા માટે તમારા મિત્રો ન માને તો કહી દેવું : "જો હું નશો કરીશ તો મારાં મા-બાપ મને સજા કરશે અને જિંદગીભર ઘરમાં નજરકેદ કરી દેશે.” તે મિત્રો માની જશે. તમે બાળકો સાથે એ રીતે વાત કરો કે તેમને પોતાનો સ્વમાનભંગ-ગૌરવભંગ ન લાગે. લઘુતાગ્રંથિથી એવી સજા પણ ન કરો કે જેથી મા-બાપ પ્રત્યે વેરભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy