SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ ભાગ - ૨ ત્યારે જ ઉત્પન્ન થાય અને ટકે કે જ્યારે માતા-પિતા સંતાનો સાથે સમજદારીપૂર્વકનો વ્યવહાર કરે. બચ્ચાંની ભૂલો તો થશે પણ મોટા ભાગની ભૂલો અજ્ઞાનતાથી થતી હોય છે. કોઈ વાર બીજાનું અનુકરણ કરવાથી થતી હોય છે. કોઈક વાર કોઈના ચડાવવાથી બાળક ભૂલ કરી બેસે છે, તો કોઈ વાર જિજ્ઞાસાથી પ્રેરાઈને ભૂલ કરે સજા કરતા પહેલાં, આક્રોશ કરતા પહેલાં એ વિચારવું આવશ્યક છે કે "આમાં સાચી રીતે બાળકની ભૂલ કેટલી છે? આ પરિસ્થિતિમાં ભૂલ થવી કેટલી સંભવિત છે?" જો તમે વિચાર કરશો તો તમારો ગુસ્સો ઓછો થઈ જશે. સજા કરતા પહેલાં બાળકને તેની ભૂલની ગંભીરતા સમજાવવી જોઈએ. બે-ચાર વાર તેને સમજાવતા રહો. ખોટું કામ કરતાં રોકો, પરંતુ પ્રેમ કરતા રહો. તમે બાળક ઉપર ગમે તેટલા ઉપકારો કર્યા હશે, પરંતુ સાથે સાથે તેમની પ્રત્યે અયોગ્ય વ્યવહાર કર્યો હશે તો તેઓ તમારા અયોગ્ય વ્યવહારને યાદ રાખશે અને ઉપકારને ભૂલી જશે. એટલા માટે તમારે બે કામ કરવાં પડશે ઃ ૧. બાળકો સાથે સારો, ભદ્ર વ્યવહાર કરો. ૨. કદી પણ તમે કરેલા ઉપકારોની વાતો તેમને ન સંભળાવો. બાળકો સાથે સારો વ્યવહાર કરો તમે તમારા બાળકો સાથે સારો વ્યવહાર કરશો તો બાળકો તમારા ઉપકારો કદી નહીં ભૂલે. તેઓ પોતાના મિત્રોને કહેશે : "મારી માતા સારી છે. તે મને કદી મારતી નથી. કદી ઝઘડો કરતી નથી. તે પાસે બેસીને મને જમાડે છે, ભણાવે છે. Home Work કરાવે છે. મારા પિતા પણ સારા છે. તેઓ મારી સાથે હસે છે. તેઓ મારી સ્કૂલ વિશે, મિત્ર વિશે, અભ્યાસ વિશે મારી સાથે વાતો કરે છે. મારા માટે સારાં વસ્ત્રો લાવે છે. મારી પસંદગીની કેટલીય વસ્તુઓ મારા માટે લાવે છે.” તમારાં બાળકો બીજાંની સામે તમારી પ્રશંસા કરતાં હોય તો તમારે સમજવું કે તે તમારા વ્યવહારથી સંતુષ્ટ છે. પરંતુ તમારે સાવધાની રાખવાની કે બાળકોને વધારે પડતો પ્રેમભાવ ન આપવો. તેમના અયોગ્ય આગ્રહોને વશ ન થવું. કદાચ બાળક તમારી સાથે રિસાય તો રિસાવા દેવું. પરંતુ તે લાંબો સમય તમારી સાથે મૌન નહીં રહી શકે. તમારી વાત માનશે. તેને પ્રેમથી અને તર્કથી સમજાવવું પડશે. આજકાલ બાળકો વધારે પ્રશ્નો કરે છે ને ? - આવું કેમ ન ખાવું જોઈએ? – આવું કેમ ન પીવું જોઈએ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy