SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ s શ્રાવકજીવન કે બાળકને કેટલી પ્રતીતિ થઈ, તો કંઈક બીજી પણ કોઈ ઉપલબ્ધિ થઈ શકે છે.” વાસ્તવમાં ઉપલબ્ધિ થઈ ! વાત પતી ગઈ ! બાળક સુધરી ગયું અને માતાએ પણ પુત્રને પ્રેમથી સંભાળવાની શરૂઆત કરી દીધી ! બાળકોએ જો અપરાધ કર્યો હોય તો સજા કરી શકો છો, પરંતુ ખૂબ સમજદારી સાથે સજાનો ઉપયોગ કરવાનો હોય છે, નહીંતર બાળકોના માનસિક વિકાસ માટે સજા ઘાતક સાબિત થશે. બાળક સુધરવાને બદલે બગડતું જશે. વારંવાર મારવાઝૂડવાથી બાળકના મનમાં માતા-પિતા પ્રત્યે રોષ ઉત્પન્ન થાય છે, વેરભાવ જન્મે છે. પછી તો તમને વંદન કરવાં તો દૂર રહ્યાં, ઉપરથી તમને પરેશાન કરી નાખશે. મોટા થઈને માતા-પિતા સાથે ખરાબ વ્યવહાર કરશે અને વૃદ્ધાવસ્થામાં “વૃદ્ધાશ્રમ”માં મોકલી દેશે ! એટલા માટે કહું છું કે તમારે માતા-પિતાએ તમારી વંદનીયતા અખંડ રાખવી હોય તો સંતાનો સાથે ઉચિત - પ્રેમમય વ્યવહાર કરવો. ભવિષ્યમાં તમારે માટે એ સુખદાયી નીવડશે. આ વિષયમાં કલકત્તાનો એક પ્રસંગ યાદ આવે છે. કેટલાક સમય પહેલાં વાંચ્યો હતો. કલકત્તાની હાઈકોર્ટના ન્યાયાધીશ સર ગુરુદાસ બંધોપાધ્યાય અદાલતમાં એક મુકદ્દમો સાંભળી રહ્યા હતા. એકાએક તેમની નજર અદાલતના દરવાજા પર પડી. એ સમયે એક વૃદ્ધા ગંગાસ્નાન કરીને પાછી ફરતાં પોતાના ભીનાં વસ્ત્રોમાં અદાલતમાં પેસવાનો પ્રયત્ન કરી રહી હતી, અને અદાલતનો પટાવાળો એને રોકી રહ્યો હતો. ગુરુદાસે એકાએક એ વૃદ્ધાને ઓળખી લીધી, તે તેમની ધાવમાતા હતી અને એનું દૂધ ગુરુદાસે પોતાના શૈશવકાળમાં પીધું હતું. તેમણે તરત જ કેસ રોકી દીધો અને ઊઠીને જાતે દરવાજે પહોંચ્યા. ત્યાં જઈને તેમણે ધાવમાતાનો ચરણસ્પર્શ કર્યો, પછી બધાંને જણાવ્યું : "આ મારી માતા છે, તેમણે મને તેમનું દૂધ પાયું છે. ધાવમાતાએ ગુરુદાસને બચપણમાં દૂધની સાથે પ્યાર પણ આપ્યો હશે. તે સિવાય ગુરુદાસ આ રીતે અદાલતમાં તેમને પગે ન લાગત ! અહીં બેઠેલી માતાઓએ પણ દૂધ તો પાયું હશે પોતાનાં બાળકોને, પણ શું એમનાં બાળકો તેમના ચરણસ્પર્શ કરે છે સવારે ? પ્રેમથી દૂધપાન કરાવ્યું હશે તો કરતાં હશે ચરણસ્પર્શ ! વંદનીયતા ટકાવી રાખવાના ઉપાયો ઃ ગ્રંથકાર કહે છે કે દરરોજ સવારે માતા-પિતાને વંદન કરવાં જોઈએ ! માતાપિતા પ્રત્યે પૂજ્યભાવ હોવો જોઈએ. બહુમાનનો ભાવ હોવો જોઈએ. આ ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy