SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ - સૂત્રોચ્ચાર કેવી રીતે કરવો ? દિવસમાં કેટલાં ચૈત્યવંદન કરવાં જોઈએ ? - ક્યારે ક્યારે કરવાં જોઈએ ? ચૈત્યવંદન-સૂત્રનો સામાન્ય અર્થ શું ? વિશેષ અર્થ શું - તાત્પર્ય અને રહસ્યાર્થ શું ? ચૈત્યવંદનની મનુષ્યના મન ઉપર શી અસર પડે છે ? ચૈત્યવંદનનો આધ્યાત્મિક પ્રભાવ શું છે ? - વગેરે જિજ્ઞાસાઓ ઉત્પન્ન થાય છે. સભામાંથી : ચૈત્યવંદનની ક્રિયા પ્રત્યે બહુમાન હોય પરંતુ એવી જિજ્ઞાસા પેદા ન થતી હોય એવું ન હોઈ શકે ? મહારાજશ્રી ઃ ન બની શકે. જેના પ્રત્યે પ્રેમ હોય, બહુમાન હોય એના વિષયમાં જિજ્ઞાસા ન હોય - આ વાત અશક્ય છે. પ્રેમનો પ્રભાવ અને જિજ્ઞાસાનો ભાવ પરસ્પર અપેક્ષિત હોય છે. બંને પ્રકારના ભાવોમાં સંબંધ છે. જે વસ્તુનો, જે વિષયનો પ્રેમ હશે તે વિષયમાં જિજ્ઞાસા ઉત્પન્ન થશે જ. જેમ કે એક વિદ્યાર્થીને ઇતિહાસના વિષયમાં ઊંડી અભિરુચિ છે, તો તેની તે વિષયમાં જિજ્ઞાસા વધતી જ જાય છે અને તે ઊંડી શોધ કરવા લાગશે - ગંભીર સંશોધન કરતો રહેશે. ૫૭ આ જ રીતે "ચૈત્યવંદના”ની ક્રિયામાં તમારી ઊંડી અભિરુચિ હશે તો "ચૈત્યવંદન”ના વિષયમાં તમારી જિજ્ઞાસા વધતી જ જશે. તમે એ વિષયમાં ગહન અને ગંભીર ચિંતન-મનન કરજો ! જેમ કે આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજીએ ચૈત્યવંદનના વિષયમાં પૂરો “થીસીસ” લખી નાખ્યો છે "લલિતવિસ્તરા” ! ચૈત્યવંદન-સૂત્રના વિષયમાં એક સંપૂર્ણ મહાનિબંધ જ છે. જો "નવકાર મંત્ર”ના પ્રત્યે તમારા હૃદયમાં શ્રદ્ધા છે, પ્રેમ છે, તો નવકાર મંત્રના વિષયમાં પણ તમારા મનમાં વિશિષ્ટ જિજ્ઞાસાઓ પેદા થઈ જશે. જો જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો ગંભીર-ઊંડું જ્ઞાન થઈ જાય ! જ્ઞાનના ખજાનાની ચાવી છે જિજ્ઞાસા. તત્ત્વજ્ઞાનનો પ્રારંભ જિજ્ઞાસાથી થાય છે. પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ. ચિત્તમાં ‘આવું કેમ ? - આવું ક્યારથી ? - આવું ક્યાં સુધી ? - પરિણામ શું ?’ આવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવશે તો સમાધાન મેળવવા એ વિષયના જ્ઞાની પુરુષો પાસે જશો અને સમાધાન મેળવવા પ્રયાસ કરશો. વિધિ-તત્પરતાનાં પાંચ લક્ષણ : તાત્ત્વિક જિજ્ઞાસાનું સમાધાન મેળવવા માટે માણસે સદ્ગુરુને શરણે જવું પડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy