SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શ્રાવકજીવન સભામાંથી શું ધર્મની નિંદા કરનારાઓ પ્રત્યે દ્વેષ કરવો એ પાપ છે? તેના પ્રત્યે દ્વેષ ન કરવો? ષ તો થઈ જાય છે ! મહારાજશ્રી ધર્મનંદક તરફ દ્વેષ કરવાનો નથી ! જો તમે ધર્મનું સ્વરૂપ સમજશો તો ધમનિંદકો તરફ દ્વેષ નહીં થાય. તીર્થંકર ભગવંતોએ મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવનાઓથી યુક્ત અનુષ્ઠાનને ધર્મ કહ્યો છે. તમારે અનુષ્ઠાન જિનાજ્ઞા અનુસારનું હશે, વિધિપૂર્વકનું હશે, પરંતુ મૈત્રી વગેરે ભાવનાઓથી યુક્ત નહીં હોય તો એ અનુષ્ઠાન "ધર્મ” નહીં કહેવાય. તે ક્રિયા ધમક્રિયા નહીં બને. એટલે કે તમે ધર્મ પામ્યા છો તો તમારા હૃયમાં એ ચાર ભાવનાઓ હોવી જોઈએ. કોઈના પ્રત્યે દ્વેષ, તિરસ્કાર, ધૃણા... વગેરે દુષ્ટ ભાવો ન હોવા જોઈએ. ધર્મની નિંદા કરનારા તરફ પણ ભાવકરુણા” રહેવી જોઈએ. “ધર્મનિંદાના પાપથી એને કેવી રીતે બચાવું? બિચારો પાપકર્મ બાંધીને ભવાન્તરમાં દુઃખી દુઃખી થઈ જશે.....” એવું ચિંતન કરવું જોઈએ. તમારા દ્ધયમાં ધર્મ પ્રત્યે બહુમાન હોય તો આ વાત છે ! તમે તમારા મનને બીજી વાતોમાં ગૂંચવશો જ નહીં. તો તમારું મન ચૈત્યવંદના વગેરે ધર્મક્રિયાઓમાં જ નિરત રહેશે. ઘર્મ પ્રત્યેના બહુમાનનું ચોથું લક્ષણ એટલા માટે જ "ચિત્તવિન્યાસ બતાવવામાં આવ્યું છે. તમારા હૃયમાં ધર્મ પ્રત્યે પ્રેમ છે, તમારું મન વારંવાર ધર્મમાં જ વળશે. ધર્મનિંદકો તરફ નહીં જાય. મનનો આ સ્વભાવ છે. જે એને પ્રિય લાગે છે, તેમાં જ તે વારંવાર જાય છે. પિતાને પુત્ર પ્રિય હોય છે. પુત્ર પરદેશ હોય તો પિતાનું મન વારંવાર પુત્ર પાસે જ જાય છે ને? પુત્રના વિચારોમાં જ ડૂબી જાય છે ને? એ રીતે તમને તમારો વેપાર વધારે પ્રિય હોય તો ભલે તમે અહીં બેઠા છો, પણ તમારે મન વેપારના વિચારોમાં જ ચાલ્યું જતું હશે ! ભોજન કરતાં કરતાં પણ મન વેપારમાં ચાલ્યું જશે. એમ ધમ પ્રિય હશે તો વેપાર કરતાં કરતાં પણ મન ધર્મના વિચારોમાં ચાલ્યું જશે. ભોજન વખતે પણ ધર્મના ચિંતનમાં ડૂબી જશે. ધર્મક્રિયા કરતી વખતે તો મન તેમાં લીન-તલ્લીન થઈ જશે ! પાંચમું લક્ષણ બતાવ્યું છે - "પરા જિજ્ઞાસા . પરા એટલે શ્રેષ્ઠ ! એટલે કે ગહન.......ગંભીર! ધર્મના વિષયમાં શ્રેષ્ઠ..........ગહન અને ગંભીર જિજ્ઞાસા પેદા થાય છે. જેમ કે - ચૈત્યવંદન-સૂત્રમાં ચૈત્યનો અર્થ શું? વંદનનો વિધિ શું? કયાં કયાં સૂત્રો છે ? – આ સૂત્ર કોણે બનાવ્યું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy