SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ પપ આ જ રીતે ધર્મ પ્રત્યે તમારા હૃયમાં બહુમાન હશે તો ધર્મની વાત સાંભળવામાં હર્ષ અને આનંદની અનુભૂતિ થશે જ. “ધર્મકથા પ્રીતિ - આ પ્રથમ લક્ષણ છે ! ધર્મબહુમાનનું બીજું લક્ષણ છે – “ધમનિંદાનું અશ્રવણ”. તમારા હૃદયમાં "ચૈત્યવંદન”ના ધર્મ પ્રત્યે આંતરિક પ્રેમ છે, તો તમે ચૈત્યવંદનની નિંદા નહીં સાંભળી શકો. તમે સાંભળવાનું પસંદ નહીં કરો. નિંદા સાંભળવી જ પસંદ નહીં પડે, તો પછી નિંદા કરવાની તો વાત જ ક્યાં રહી? જે વાત ઉપર માણસને પ્રેમ હોય છે, બહુમાન હોય છે, તે વાતમાં દોષ અગર ન્યૂનતા તે જોઈ જ શકતો નથી અને દોષ યા ન્યૂનતા જોયા સિવાય, નિંદા થઈ શકતી નથી! કોઈ તમારી પાસે આવીને કહે કે : "શા માટે સવાર-સાંજ ચૈત્યવંદન કરો છે? આ ક્રિયાથી કોઈ લાભ નથી. આ મૂર્તિ, આ મંદિર, બધું નિરર્થક છે, પથ્થરની પૂજા કરવાથી મોક્ષ નથી મળતો.........” વગેરે. તમને સાંભળવું ગમશે ? નહીં! બે કાનોમાં આંગળી રાખીને તમે કહેશો "ભાઈ ! આવી કડવી અને અપ્રિય વાત સાંભળવા ઇચ્છતો નથી. તમે નિંદા કરવી બંધ કરો અથવા અહીંથી ચાલ્યા જાઓ. જે ધર્મ મને પ્રિય છે તે હું કરું છું અને કરતો રહીશ. મને ચૈત્યવંદન કરવામાં કેટલો આનંદ આવે છે અને આખો દિવસ કેવો શુભ જાય છે એ વાત સાંભળશો. તો તમે પણ મારી માફક ચૈત્યવંદન કરવું શરૂ કરી દેશો; નિંદા કરવી ભૂલી જશો.” તમારા હૃદયમાં ધર્મ પ્રત્યે બહુમાન હશે તો તમે ધમનિંદા કરનારાઓને નિંદા કરતા અટકાવશો; તેમને બુદ્ધિચાતુર્યથી ધર્મપ્રશંસક બનાવી દેશો. કદાચ આ વાત શક્ય નહીં બને તો તમે નિંદા સાંભળવા ઊભા નહીં રહો, ત્યાંથી ખસી જશો. કોઈ પણ માણસની નિંદા કરવી યા સાંભળવી એ પાપ છે, તો પછી ધર્મની નિંદા કરવી-સાંભળવી એ તો ઘોર પાપ છે ! અધમ કૃત્ય છે ! તમારાથી ધર્મનું આચરણ ન થતું હોય તો ન કરો, પરંતુ ધર્મની નિંદા તો કદીય ન કરો. ધર્મની નિંદા કદીય ન સાંભળો. - સદાય યાદ રાખો કે ધર્મ જ આપણો તારણહાર છે. ધર્મ જ આપણી રઝળપાટ મટાડનાર છે. ધર્મ જ આપણને સુખશાંતિ આપનાર છે. ધર્મથી જ પાપોનો નાશ થાય છે. ધર્મથી જ પુણ્ય બંધાય છે અને તે જ આપણાં સર્વ સુખોનું મૂળ છે. એટલા માટે ધર્મની નિંદા કરવી નહીં-સાંભળવી નહીં. તમારા દ્ધયમાં ધર્મ-બહુમાન હશે તો તમે નિંદા કરશો જ નહીં. નિંદા સાંભળવી પસંદ કરશો નહીં. કદાચ કોઈક વાર પરવશતાથી સાંભળવી પડે તો નિંદક પ્રત્યે દ્વેષ ન કરતા, તેના તરફ ભાવકરુણાથી વિચારજો. ત્રીજું લક્ષણ આ જ બતાવે છે ! ઘમીનંદક પ્રત્યે ભાવકરુણા, ભાવદયા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy