SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રાવકજીવન છે અને ત્યાં વિનયપૂર્વક વ્યવહાર કરવો પડે છે. આ દૃષ્ટિથી વિધિ-તત્પરતાનું પ્રથમ લક્ષણ "ગુરુવિનય" બતાવવામાં આવે છે. “શ્રી ઉત્તરાધ્યયન-સૂત્ર”ના પહેલા જ અધ્યાયમાં વિનયના પ્રકાર અને વિનયનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જિજ્ઞાસાવાળો માણસ જ એવો વિનય કરી શકે છે. ગુરુ પ્રત્યે આંતરિક બહુમાનની સાથે જીવનનો પ્રત્યેક વ્યવહાર વિનયથી રંગી દેવાવાળો મુમુક્ષુ પોતાના જીવનને ધન્ય બનાવી દે છે ! બધાની આધારશિલા વિનય છે. વિનીત આત્મા સદ્ગુરુ પાસેથી પરિણિત-જ્ઞાન પામે છે. એટલે કે તે જ્ઞાનને માત્ર દિમાગમાં જ નથી ભરતો, આત્મસાત્ કરી લે છે. તેનું જ્ઞાન તેને દોષમુક્ત કરાવે છે. પરમ શ્રેય તરફ લઈ જાય છે. વિનીત આત્મામાં વિધિ-તત્પરતા સહજભાવે પ્રકટ થાય છે. તેનું પ્રત્યેક અનુષ્ઠાન વિધિયુક્ત હશે. તે પોતે વિધિપાલનનો આગ્રહી હશે. જેમ તે વિધિનો આદર કરનારો હોય છે, તેમ દરેક અનુષ્ઠાન તેના નિશ્ચિત સમયે ક૨વાનો આગ્રહી પણ હશે. બીજું લક્ષણ "સત્કાલાપેક્ષા"નું બતાવ્યું છે. તે યથાર્થ જ છે. જે સમયે ચૈત્યવંદન કરવાનું હશે, તે સમયે ચૈત્યવંદન ક૨શે. જે સમયે પરમાત્મા-પૂજા કરવાની હશે, તે સમયે તે પૂજા કરશે. જ્ઞાની પુરુષોએ જે પ્રતિક્રમણનો સમય બતાવ્યો હશે, તે સમયે તે પ્રતિક્રમણ કરશે. સમયની પાબંદી વિધિ-તત્પરતાનું બીજું લક્ષણ છે. તે સમયની બાબતમાં લાપરવાહી નહીં કરે. જો કદાચ પરિસ્થિતિવશ, કોઈક વાર ધક્રયા કરવામાં સમય-પાલન નહીં કરી શકે તો તેના મનમાં સંતાપ રહેશે. “હું કેવો આળસુ છું ? મેં આજે સવારે સમયસર ચૈત્યવંદન કર્યું નથી. મોટી ભૂલ થઈ ગઈ.” કાર્યસદ્ધિ માટે સમયનું ખૂબ મહત્ત્વ છે. તે તમે દુનિયામાં જુઓ છો. નિશ્ચિત સમયે કરેલી મંત્રસાધના સફળ થાય છે. યોગ્ય સમયે કરેલો વ્યાપાર, વાવેલું બીજ અને બોલેલું વચન સફળતા પ્રાપ્ત કરે છે; એ જ રીતે યોગ્ય કાળે કરેલું ધર્માનુષ્ઠાન વિશિષ્ટ લ પ્રદાન કરે છે. એટલા માટે કાળનું મહત્ત્વ સમજવું જોઈએ. તમે લોકો સમયની કેટલી ચિંતા કરો છો તે હું જાણું છું. તમને જ્યારે સમય મળે છે ત્યારે ધર્મક્રિયા ફરી લો છો ! સવારે પાંચ વાગે જિનપૂજા અને રાતે ૧૦/૧૨ વાગે પ્રતિક્રમણ ? વિધિ-તત્પરતા રહી નથી. ન ગુરુવિનય રહ્યો છે, ન કાળની અપેક્ષા રહી છે. ત્રીજું લક્ષણ બતાવ્યું છે - ઉચિત આસન અને મુદ્રાઓનું. કઈ ધર્મીક્રયામાં કયા આસનથી બેસવાનું છે, બેસવું જોઈએ, કયું સૂત્ર બોલતી વખતે બે હાથ દ્વારા કેવી કેવી મુદ્રાઓ કરવી તે વિષયનું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે, કારણ કે નિશ્ચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy