SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૨ પરમ કૃપાનિધાન, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત “ધર્મીબંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં વિશિષ્ટ શ્રાવક ધર્મનું નિરૂપણ કર્યું છે. શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં તેમણે કહ્યું : "શ્રાવક-શ્રાવિકાઓએ જાગતાં જ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ. પછી દેહશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ કરીને ચૈત્યવંદન કરવું જોઈએ.” "ચૈત્યવંદન" એક ધર્મક્રિયા છે. આ ધર્મક્રિયા સામાન્ય - સાધારણ ક્રિયા નથી, મહત્ત્વપૂર્ણ છે. ઈહલૌકિક અને પારલૌકિક દૃષ્ટિથી ધર્મીક્રયા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આવી ધર્મીક્રયા ક૨ના૨ા મનુષ્ય પણ સામાન્ય - સાધારણ હોય તે ન ચાલે. તે યોગ્યાસંપન્ન હોવો જોઈએ. તેનામાં ત્રણ પ્રકારની યોગ્યતા હોવી જોઈએ. ધર્મક્રિયાની ગરજ હોવી જોઈએ. - ધર્મક્રયા પૂર્ણ કરવાનું સામર્થ્ય હોવું જોઈએ. – ગુણમય વ્યક્તિત્વ હોવું જોઈએ. ધાર્મિક મનુષ્ય ગુણવાન હોવો જોઈએ : પહેલી બે પ્રકારની યોગ્યતા અંગે વિવેચન કરી ચૂક્યો છું. આજે ત્રીજા પ્રકારની યોગ્યતાના વિષયમાં સમજવાનું છે. ધર્મ આચરનાર માણસ ગુણવાન હોવો જોઈએ, અને તે જ શાસ્ત્રસંમત યોગ્ય વ્યક્તિ છે, ધર્મ કરવા માટે. ગુણરહિત મનુષ્યનો ધર્મક્ષેત્રમાં પ્રવેશ નિષિદ્ધ છે. જ્ઞાની પુરુષોએ ગુણ વગરના માણસને ધર્મ આપવાનો નિષેધ કર્યો છે. દોષયુક્ત મનુષ્ય, ગંભીર દોષવાળો માણસ ધર્મક્ષેત્રમાં આવે છે તો ધર્મક્ષેત્ર નિંદાનો વિષય બની જાય છે. ― અજ્ઞાની લોકો તેની નિંદા તો કરે જ છે, પણ ધર્મ અને ધર્મગુરુઓની ય નિંદા કરે છે. તે લોકો ધર્મ પ્રત્યે, ધર્મગુરુઓ પ્રત્યે, ધર્મસ્થાનો પ્રત્યે દુર્ભાવવાળા બની જાય છે. ધર્મીક્રયા કરનારા માણસોને મંદિરમાં - ઉપાશ્રયમાં - આયંબિલ ભવનમાં.... તીવ્ર ક્રોધ કરતા, ઝઘડતા જોઈને યુવકવર્ગ ધર્મ તરફ નફરત કરવા માંડે છે. – ધર્મક્રિયા કરનારાઓને દાણચોરી કરતાં, જુગાર રમતાં, શરાબ પીતાં કે ક્લબોમાં પરસ્ત્રીઓ સાથે નાચતા જોઈને કેટલાક બુદ્ધિમાન લોકો ધર્મક્ષેત્રથી દૂર ચાલ્યા જાય છે ! — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy