SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રાવકજીવન ધ્યાનમગ્ન રહે છે. વિચલિત થતો નથી, તો પછી દ્વાદશાંગીના ધારક એવા સાધુઓએ ઉપસર્ગ સહન કરવામાં સર્વથા દૃઢ રહેવું જોઈએ.” ભગવાનને વંદના કરીને કામદેવ પૌષધશાળામાં ચાલ્યા ગયા. કામદેવે ઘણાં વ્રતોથી પોતાના આત્માને ભાવિત કર્યો. ૨૦ વર્ષ સુધી શ્રાવકનું વ્રતમય જીવન વ્યતીત કર્યું. નવ પ્રતિમાઓની સારી રીતે આરાધના કરી. એક માસની સંલેખના કરી.......અનશન કર્યું.......સમાધિ મૃત્યુ થયું. તે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા અત્યારે તે ત્યાં જ છે - સૌધર્માવતંસક વિમાનના ઈશાન કોણમાં "અરુણાભ” નામે વિમાનમાં; ત્યાં તમે જાઓ તો મળજો ! ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું : "ભગવંત્ ત્યાંથી કામદેવ ક્યાં ઉત્પન્ન થશે ?” ભગવાને કહ્યું : “ગૌતમ, તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને એ જન્મમાં તે નિવણિ પામશે.” ઉપસંહાર : ધર્મનો સ્વીકાર કરનારા એવા શક્તિમાન હોવા જોઈએ કે કષ્ટ આવતાં લાલચ મળતાં પણ ધર્મ છોડી ન દે. કામદેવ કેવા ધીર અને વીર પુરુષ હતા ! સ્વયં તીર્થંકર ભગવાને તેમની સ્વમુખે પ્રશંસા કરી હતી. કેટલું પ્રેરણાદાયી છે કામદેવનું આ ચરિત્ર ? એ સાંભળીને તમને મનમાં ધીર, વીર બનીને ધર્મ-આરાધના કરવાના મનોરથો પેદા થયા ને ? કે "હું પણ દૃઢતાથી વ્રત-નિયમોનું પાલન કરીશ.” ધર્મ કરનાર માણસ અર્થી હોવો જોઈએ, સમર્થ હોવો જોઈએ અને શાસ્ત્રસંમત હોવો જોઈએ. આ વિષયમાં આજે બે વાતો બતાવી છે. ત્રીજી કાલે બતાવીશ અને "ચૈત્યવંદન”ના વિષયમાં પણ અન્ય વાતો બતાવવી છે, સમજાવવી છે, તે પણ કાલે સમજાવીશ. આજે, બસ આટલું જ. Jain Education International ★ ★ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy