SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રાવકજીવન ધર્મ આચરનારાઓની અતિકૃપણતા જોઈને, તેમની નિર્દયતા નિહાળીને, તેમનો અવિનય અને ઉદ્ધતાઈ જોઈને કેટલાય સુશિક્ષિત લોકોએ મંદિર જવાનું છોડી દીધું છે. — ધર્મ કરનારાઓ જ્યારે કષ્ટ પડે છે, દુઃખ આવે છે ત્યારે ધર્મ છોડી દે છે. કાર્યનો આરંભ કરીને વચ્ચેથી જ કાર્ય છોડી દે છે. દીર્ઘદૃષ્ટિથી કાર્ય કરતા જ નથી, ત્યારે લોકોને તેમના પ્રત્યે અભાવ થઈ જાય છે. ધર્મકાર્યમાં વિશ્વાસ રહેતો નથી. ધર્મ કરનારાઓ જ્યારે બીજાઓ સાથે નિર્લજ્જ વ્યવહાર કરે છે, મોટાઓની મર્યાદાઓ તોડે છે, નાના-મોટાઓનો અનાદર-તિરસ્કાર કરી બેસે છે, ગંદા શબ્દો બોલે છે, ત્યારે બીજા લોકોને ધર્મ અને ધર્મ કરનારાઓ પ્રત્યે દુર્ભાવ થઈ જાય છે અને તેઓ ધર્મથી વિમુખ બની જાય છે. આ વાતનું મને એક પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું હતું. એક રાજ્યના મુખ્ય મંત્રી મળવા આવ્યા, અનેક વિષયો ઉપર વાતો થઈ. જૈનધર્મ પ્રત્યે તેમણે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું : “જૈનધર્મ અને જૈનસમાજ મને ખૂબ પસંદ છે. જૈનધર્મ જીવંત ધર્મ છે. જૈનસમાજ નિર્વ્યસની અને અહિંસક સમાજ છે. આ ધર્મ રાષ્ટ્રધર્મ - વિશ્વધર્મ બનવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આપ નારાજ ન થાઓ તો એક કડવી વાત કહી દઉં ?" મેં કહ્યું : "નારાજ થવાનો પ્રશ્ન જ નથી, તમે દિલ ખોલીને કહો.” તેમણે કહ્યું : “તમે લોકો પરસ્પર ઝઘડતા રહો છો, એ વાત મને ખટકે છે. કોઈ કોઈ વાર છાપાઓમાં વાંચું છું. આપના આચાર્યોમાં, સાધુઓમાં પરમતસહિષ્ણુતા નથી ! જો આપ સૌ પ૨મત-સહિષ્ણુ બનીને એક થઈ જાઓ તો જૈનધર્મથી રાષ્ટ્રને મોટો લાભ થઈ શકે, રાષ્ટ્રનું ચારિત્ર્ય ઉપર ઊઠી શકે !” જાહેરમાં ઝઘડવું અયોગ્યતાનું પ્રદર્શન : પરસ્પરના ઝઘડા-મતભેદ જ્યારે છાપાઓમાં આવે છે ત્યારે તે અનિષ્ટ બની જાય છે. ઉગ્ર શબ્દોમાં બીજાનાં ધર્મવષયક મંતવ્યોનું ખંડન કરવું અને પોતાનાં મંતવ્યોનું મંડન કરવું.....બીજા પાઠોની ધર્મભાવનાનું મુંડન કરી દે છે. •ધર્મભાવનાને નષ્ટ કરી દે છે. શાસ્ત્રોની, ધર્મગ્રંથોની વાતો લઈને જાહેરમાં છાપાઓના માધ્યમથી ઝઘડા કરનારાઓ ધર્મ આચરવા માટે યોગ્ય છે ખરા ? પાત્ર છે ખરા ? અંદર-અંદરના મતભેદોનું ખાનગી મંત્રણાના માધ્યમથી, પરસ્પર ચર્ચાવિચારણાથી નિરાકરણ ન કરી શકાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy