SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૪૩ એવી ઇચ્છાઓ ઉત્પન્ન થવી ન જોઈએ. "હું આવી ધર્મક્રિયાઓ કરીશ તો સમાજની દ્રષ્ટિમાં હું “સારો માણસ” દેખાઈશ, લોકો મને ધમત્મિા કહેશે, તપસ્વી કહેશે, સપુરુષ કહેશે, એવી કામનાઓ પણ ન કરવી જોઈએ. દુનિયાની દ્રષ્ટિએ સારા દેખાવાનો શો અર્થ? આપણે તો અનન્ત સિદ્ધ ભગવંતોની દ્રષ્ટિમાં તથા સજ્જનોની દૃષ્ટિમાં સારા બનવાનું છે. સારા બનવાનો પ્રયત્ન કરવાનો છે, સારા દેખાવાનો નહીં. સારા દેખાવાથી તો દંભ આવી જશે. ધર્મનો ઉપયોગ સારા દેખાવા માટે નહીં પણ સારા બનવા માટે કરવાનો છે. તમે સારા હો, ધર્મથી સારા બન્યા છો, છતાં દુનિયાની દ્રષ્ટિમાં તમે સારા ન દેખાતા હો તેમજ દુનિયા તમારી પ્રશંસા ન કરતી હોય તો અફસોસ કરવો નહીં. તમારા જીવનમાં ધર્મ છે, ધર્મના પ્રભાવથી તમારા વિચારો સારા છે, વ્યવહાર સારો છે, કાર્યો સારાં છે, તો તમે કૃતાર્થ છો. ભૌતિક, આધિભૌતિક અને દૈવિક સુખોની કામનાથી ધર્મક્રિયા કરનારાઓ પોતાની ધર્મક્રિયાને લાંછન લગાડે છે, કલંકિત કરે છે. એ ધર્મક્રિયા શુભ ભાવોની જનની બની શકશે નહીં. ધર્મક્રિયાઓને શુભ ભાવોની જનની જ રહેવા દો. એનાથી ભૌતિક-વૈષયિક સુખોની કામના ન કરો. સુખ સ્વતઃ મળવાનું છે. શુભ ભાવથી પુણ્યકર્મ અર્જિત થતાં અને પુણ્યકર્મથી ભૌતિક સુખ મળવાનું જ છે. ભૌતિક-વૈષયિક સુખોની કામનાથી-આશંસાથી હૃદય અશુદ્ધ બને છે, ચિત્ત ગંદુ થાય છે. ગંદા અને અશુદ્ધ ચિત્તમાં ધર્મ ઉદ્ભવતો જ નથી. ધર્મનો જન્મ ચિત્તમાં જ થાય છે, એ વાત તો તમે જાણો છો ને? નિર્મળ, પવિત્ર અને વિશુદ્ધ ચિત્તમાં જ ધર્મનો જન્મ થાય છે અને ટકે છે. એટલા માટે ભૌતિક સુખોની આશંસાથી ચિત્તને અશુદ્ધ ન કરો. ભૌતિક સુખોની ઈચ્છા તો ઉત્પન્ન થશે જ. પરંતુ ધર્મક્રિયાના ફળસ્વરૂપ ભૌતિક સુખોની આશંસા ન કરવી. હા, કદી કોઈ વૈષયિક સુખની અત્યંત આવશ્યકતા ઉપસ્થિત થાય તો - હું દેવો પાસે સુખની યાચના નહીં કરું. મારે સુખ માગવું હશે તો મારા જિનેશ્વર ભગવંત પાસે જ માગીશ, એવી શ્રદ્ધા હોય અને પરમાત્મા પાસે તે ભૌતિક સુખની માગણી કરશો તો કોઈ દોષ નથી, એનાથી તેનું ચિત્ત મલિન થતું નથી. કદીક કોઈ તીવ્ર પાપકર્મ ઉદયમાં આવે છે, કોઈ સુખના અભાવે તીવ્ર આર્તધ્યાન થઈ જાય છે.....એ સમયે એ જાણતો હોવા છતાં કે - "મારે ભૌતિકવૈષયિક સુખની આશંસાથી ધમક્રિયા ન કરવી જોઈએ.” તે આશંસાથી ધર્મક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy