SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રાવકજીવન જેમ જેમ શુભ ભાવમાં, શુદ્ધ ભાવમાં ચિત્તની સ્થિરતા વધતી જશે તેમ તેમ ધ્યાનમાં, ધર્મધ્યાનમાં પ્રગતિ થતી રહેશે. ક્રમશઃ શુક્લધ્યાનની પ્રાપ્તિ અને કૈવલ્યનું પ્રાકટ્ય થશે; આત્મા પૂર્ણતાના શિખરે પહોંચી જશે. ચિત્ત સ્થિરતાનાં ત્રણ આલંબન : પરંતુ અશુભ ભાવોને દૂર કરવા માટે અને શુભ ભાવોને જાગૃત કરવા માટે ચિત્તની પાસે આલંબન હોવું જોઈએ. મન જેવું શુભાશુભ આલંબન લેશે, તેવા શુભાશુભ ભાવ ઉત્પન્ન થશે. "ચૈત્યવંદન”ની ધમક્રિયા છે, તમે એ ક્રિયામાં પ્રવૃત્ત. ૧. તમારી દ્રષ્ટિ પરમાત્માની મૂર્તિ ઉપર સ્થિર કરો. ૨. તમારા મનને ચૈત્યવંદનના સૂત્રોના શબ્દો સાથે જોડો. ૩. ચૈત્યવંદન સૂત્રના અર્થ-ચિંતનમાં મનને જોડો. મનને આજ્ઞા કરો, "મારે ચૈત્યવંદન સૂત્રના એક-એક અક્ષરને વાંચવો છે અને એક-એક શબ્દના અર્થનું ચિંતન કરવું છે. જ્યાં સુધી મારી આ ક્રિયા ચાલતી રહે ત્યાં સુધી મારે આ જ કામ કરવાનું છે.” વૃઢ સંકલ્પ વગર મન માનશે નહીં. સભામાંથી અમને ચૈત્યવંદન સૂત્રનો અર્થ નથી આવડતો. મહારાજશ્રી અર્થજ્ઞાન પ્રાપ્ત કરી લો. જો ધર્મક્રિયાની સાર્થકતા મેળવવી હોય તો સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું શીખી લો અને અર્થજ્ઞાન પ્રાપ્ત કરી લો. તમારે માટે એ મુશ્કેલ નથી. આસન અને મુદ્રાઓનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લેવું જોઈએ. ધર્મક્રિયાનું સાચું ફળ પ્રાપ્ત કરવાની ગરજ હોવી જોઈએ. આ જ ચિત્ત-સ્થિરતાનાં આલંબનો છે. આ આલંબનોથી જ ચિત્ત સ્થિર બની શકે છે. સ્થિર ચિત્તમાં શુભ ભાવ પેદા થાય છે. બસ, શુભ ભાવોની પ્રાપ્તિ જ આપણું ઈષ્ટ છે, આપણો ઉદ્દેશ છે. શુભ ભાવોથી આપણો સમગ્ર જીવનવ્યવહાર પવિત્ર બની જશે, એ મહાન લાભ છે. એક સાવધાનીઃ દયમાં શ્રદ્ધા અને પ્રતિ-ભક્તિ હશે, ક્રિયામાં વિધિપાલન હશે અને ચિત્તનો ઉપયોગ હશે તો તમારી ધર્મક્રિયા નિશંક શુભ ભાવોની જનની બનશે. શ્રેષ્ઠ ક્રિયાનું શ્રેષ્ઠ ફળ મળશે, છતાં પણ એક સાવધાની રાખવાની ! મનમાં કોઈ ભૌતિક, સાંસારિક સુખની આશંકા-કામના પ્રવેશી ન જાય. “આ ચૈત્યવંદનાની ધમક્રિયાથી મને ધન-સંપત્તિ પ્રાપ્ત થાઓ, પત્ની....... પુત્ર...... પરિવારની પ્રાપ્તિ થાઓ, યશ-કીર્તિ પ્રાપ્ત થાઓ, દેવલોકનાં દિવ્ય સુખ મળો." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy