SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૪૧ કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે હાથ જોડવા, કેવી રીતે પગ રાખવા વગેરે વાતો શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ. તમારે સંકલ્પ કરવો જોઈએ કે : "મારે પ્રત્યેક ક્રિયા વિધિપૂર્વક કરવી છે, અવિધિથી-અવિવેકથી નહીં !” તો જ તમે દરેક ધર્મક્રિયા વિધિથી કરી શકશો. આસન-મુદ્રા વગેરેનો ખ્યાલ કરશો અને પાલન પણ કરશો. મનને ધર્મક્રિયામાં જોડો : આમ છતાં વિધિ બાહ્ય ક્રિયાથી સંબદ્ધ છે. આસન-મુદ્રા વગેરે શરીરની વિશિષ્ટ ક્રિયાઓ છે. તમે વિધિનું પાલન કરો છો, પરંતુ તમારું મન જો ધર્મક્રિયાઓમાં જોડાતું નથી, બીજી વાતોમાં ભટકે તો ધર્મક્રિયાનો પ્રાણ જ નષ્ટ થઈ જશે. સાવધાન રહેજે, મન નકામા વિચારોમાં, બીજા વિચારોમાં ચાલ્યું ન જાય અથવા શૂન્ય ન થઈ જાય. તમારી જે ધર્મક્રિયા ચાલતી હોય તે ધર્મક્રિયામાં તમારા મનનો ઉપયોગ હોવો જોઈએ. એક ધર્મક્રિયા કરતી વખતે બીજી ધર્મક્રિયાનો વિચાર પણ ન કરવો જોઈએ. એટલે કે “ચૈત્યવંદન”ની ક્રિયાના સમયે પ્રતિક્રમણ”ની ધર્મક્રિયાનો વિચાર ન આવવો જોઈએ. અને પ્રતિક્રમણ કરતી વખતે ચૈત્યવંદનના વિચારો ન આવવા જોઈએ. જે ધર્મક્રિયા ચાલી રહી હોય, તે જ ધર્મક્રિયાના વિચારો કરવા અને ભાવસૃષ્ટિને નિર્મળ તથા વિશુદ્ધ બનાવો. સભામાંથી : ક્રિયામાં મનનો ઉપયોગ ન રહે તો શું શુભ ભાવ ઉત્પન્ન થતા નથી ? મહારાજશ્રી શુભ તો નહીં, અશુભ ભાવ પેદા થાય છે. ધર્મક્રિયામાં મન લાગતું નથી, ત્યાં સુધી મન ક્યાં જાય છે? સિદ્ધશિલા પર જાય છે ? શું વિદેહક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસે જાય છે ? કયાં જાય છે તેનો તમને અનુભવ હશે ને ? દુકાનમાં.....ઘરમાં..સ્નેહી પાસે....પૈસા પાસે.....પત્ની પાસે ? અને શું કરે છે ? ધર્મધ્યાન યા આર્તધ્યાન ? રાગદ્વેષ અને મોહનો વિચાર કરે છે ને ? વારંવાર આવા વિચારો કરવાથી ધર્મક્રિયા નિષ્ફળ જાય છે. ધર્મક્રિયાનું જે ફળ મળવું જોઈએ તે મળતું નથી. ધર્મક્રિયાનાં બે ફળ પ્રાપ્ત કરવાનાં છે - બે પ્રયોજનો સિદ્ધ કરવાનાં છે. ૧. અશુભ ભાવોને દૂર કરીને શુભ ભાવ - શુભ અધ્યયસાય પેદા કરવાના ૨. શુભ ભાવમાં, શુદ્ધ ભાવમાં ચિત્તને સ્થિર કરવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy