SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રવચન : ૨૬) પરમ કૃપાનિધિ, મહાન કૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત "ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં વિશેષ ગૃહસ્થ ધર્મ બતાવ્યો છે, એટલે કે શ્રાવક ધર્મનું પ્રતિપાદન કર્યું છે. બાર વ્રતો અને એ વ્રતોના અતિચારોનું વિવેચન કર્યા પછી શ્રાવકની દિનચર્યા બતાવવામાં આવે છે. નમો રિહંતાળ” બોલીને જ નિદ્રાત્યાગ કરવો જોઈએ. એટલે કે જાગતાં જ શ્રી નમસ્કાર મહામંત્ર બોલવાનો. ગ્રંથકારે કહ્યું : નમસ્ચારેવિરોધઃ | જાગતાંની સાથે જ આપણા મુખમાં નમસ્કાર મહામંત્રનો શબ્દોચ્ચાર થવો જોઈએ. નવા દિવસનો મંગલ પ્રારંભ પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને જ કરવાનો છે. કારણ કે આ પંચ નમસ્કાર વિશ્વના સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. જીવાત્માનાં સર્વ પાપો દૂર કરવાની શક્તિ આ પાંચ નમસ્કારોમાં રહેલી છે ? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ પાંચ પરમેષ્ઠીઓ છે. કારણ કે આ પાંચ જ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ તત્ત્વો છે. પરમ શ્રેષ્ઠ જ પરમ ઈષ્ટ : તમે લોકો કોને શ્રેષ્ઠ માનો છો ? આ પાંચ પરમેષ્ઠી જ શ્રેષ્ઠ છે ને ? આવો વિચાર તમારા મનમાં આવે છે? "પાંચ પરમેષ્ઠીથી આગળ વધીને કોઈ પણ વસ્તુ યા વ્યક્તિ શ્રેષ્ઠ નથી.” શું આવો નિર્ણય તમારા મનમાં થયો છે ? થઈ ગયો છે ? જ્યાં સુધી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ શ્રેષ્ઠ નહીં લાગે ત્યાં સુધી તેઓ તમારા પરમ ઈષ્ટ નહીં બને. તમે ભ્રમમાં પડી જશો. અરિહંતાદિને પરમેષ્ઠી માનતા રહેશો અને પરમ ઈષ્ટ બીજાં જ તત્ત્વો બની જશે. તમે વિચારજો. વર્તમાનમાં તમારું ઈષ્ટ શું છે? યાદ રાખો કે માણસની ઈષ્ટ અનેક વસ્તુઓ હોય છે, પરંતુ પરમ ઈષ્ટ તો એક જ વસ્તુ હોય છે. અનેક વસ્તુઓ પ્રિય હોઈ શકે છે પણ પરમ પ્રિય વસ્તુ તો એક જ હોય છે. એ પરમ પ્રિય વસ્તુ માટે -એ પરમ ઈષ્ટ વસ્તુ માટે બીજી પ્રિય વસ્તુઓઈષ્ટ વસ્તુઓ છોડવી પડે તો તે છોડી દે છે. ઈષ્ટ અને પરમ ઈષ્ટ - પ્રિય અને પરમ પ્રિય : સીતાજીને રાજમહેલ પ્રિય હતો, સુંદર વસ્ત્ર-અલંકારો પણ પ્રિય હતાં, સ્નેહી સ્વજનો પણ પ્રિય હતાં, માતા-પિતા, ભાઈ વગેરે પ્રિય હતાં, પરંતુ પરમ પ્રિય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy