SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રાવકજીવન હતા માત્ર રામ જ! એટલા માટે જ્યારે રામચંદ્ર વનવાસ માટે ચાલી નીકળ્યા ત્યારે સીતાજી પણ પ્રિયજનોનો ત્યાગ કરીને તમામ પ્રિય વસ્તુઓ ત્યજી દઈને તેમની સાથે વનવાસ ગયાં. જે તેમને રાજમહેલ અને સુખ-સુવિધાઓ પરમ પ્રિય હોત. તો તેઓ અયોધ્યામાં રહેતા અને શ્રીરામની સાથે વનમાં ન જાત. રામને કહી દેત કે: "મારાથી વનનાં કષ્ટ સહન નહીં થાય, હું અયોધ્યામાં જ રહીશ. તમારું નામ રટતી રહીશ. તમારી પ્રતીક્ષા કરતી રહીશ. આપ કુશળ રહેજો.” જો સીતાજીને પરમ પ્રિય માતા-પિતા હોત તો તે મિથિલા ચાલી જાત. જો કે માતા-પિતા પ્રિય છે. પરમ પ્રિય ન હતાં. પરમ પ્રિય તો રામ જ હતા. અને એટલા માટે જ સર્વ પ્રિય વસ્તુઓ અને પ્રિય વ્યક્તિઓનો ત્યાગ કરીને શ્રીરામની સાથે વનમાં ચાલી ગયાં હતાં. એક ગામમાં આગ લાગી. જે ઘરમાં આગ લાગી હતી તે ઘરનાં સ્ત્રી-પુરુષો બહાર નીકળી ગયાં. ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. આગ હોલવવા પ્રયત્નો કરતા હતા. ઘરના એક ખૂણામાં બે વરસની એક બાળકી સૂતી હતી અને એ જ ઓરડામાં લાખ રૂપિયા ભરેલી સૂટકેસ પડી હતી. બેમાંથી એક બહાર કાઢી શકાય તેમ હતું -યા તો બાળકી, યા તો સૂટકેસ-લાખ રૂપિયા. પતિપત્ની વચ્ચે ગુસપુસ થઈ. પતિ ફાયરપ્રુફ કોટ પહેરીને ઘરમાં ગયો અને થોડીક ક્ષણોમાં સૂટકેસ લઈને બહાર આવ્યો. લોકો કહેવા લાગ્યાઃ ”સારું કર્યું. ઘર તો બળી ગયું.......પણ રૂપિયા બચી ગયા. બચાવેલા રૂપિયાથી નવું ઘર બનશે........બાળકી તો..........લોકો હસવા લાગ્યા. બાળકી પતિ પત્નીને પ્રિય હશે પરંતુ પૈસા પરમ પ્રિય હતા; એટલા માટે પૈસા બચાવી લીધા અને બાળકીને આગમાં બળી જવા દીધી ! આમ આપણને પંચ પરમેષ્ઠી ભગવંતો પ્રિય છે શું? શું પરમ ઈષ્ટ છે? પ્રિય હોઈ શકે પણ પરમ પ્રિય છે? આત્મસાક્ષીએ વિચારવાનું. જ્યાં સુધી પંચ પરમેષ્ઠી સર્વશ્રેષ્ઠ નહીં લાગે ત્યાં સુધી તે પરમ પ્રિય લાગવા મુશ્કેલ છે. મનુષ્યનો સ્વભાવ છે કે એ જેને સારું સમજે છે તેને તે પ્રિય માને છે. તે જેને શ્રેષ્ઠ સમજે છે તે તેને ઈષ્ટ લાગે છે. જે વસ્તુ યા વ્યક્તિને માણસ સુખદાયી સમજે છે તે તેને ઈષ્ટ લાગે છે, પ્રિય લાગે છે. એમ દુઃખ દૂર કરનારી વરતુ અને દુઃખ નાશ કરનાર વ્યક્તિ પણ મનુષ્યને પ્રિય લાગે છે – ઈષ્ટ લાગે છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ પાંચ પરમેષ્ઠી આપણને સુખદાયી અને દુઃખવિમોચક પ્રતીત થશે ત્યારે તેઓ આપણને ઈષ્ટ અને પ્રિય લાગશે. આપણી આ પ્રતીતિ જેમ જેમ દ્રઢ થતી જશે તેમ તેમ તેઓ પરમ ઈષ્ટ લાગવા માંડશે, પરમ પ્રિય બનતા જશે. "પંચ પરમેષ્ઠી ભૌતિક અને આધ્યાત્મિક સુખ આપનારા છે. તેઓ જ સર્વકર્મજન્ય દુઃખોથી મુક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy