SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૩ “સર્વ ગ્રહો અને નક્ષત્રો મારા પ્રત્યે પ્રસન્ન છે.” આ ભાવના જો પ્રબળ બની જાય તો પ્રતિકૂળ ગ્રહ-નક્ષત્રો પણ તમારે માટે આશીર્વાદ રૂપ બની જઈ શકે છે. બધા ગ્રહો મારી વિરુદ્ધ છે.” એ રીતે વિચારીને રડવાથી, ગ્રહો પ્રત્યે તિરસ્કારની ભાવના ભાવવાથી તે અનુકૂળ થતા નથી. ભલે શનિગ્રહની મહાદશા ચાલતી હોય, પણ તમે વિચારો કે “સર્વ ગ્રહો મારા ઉપર પ્રસન્ન છે.......પ્રસન્ન છે......પ્રસન્ન "મારા દયમાં ત્રણ ભુવનના હિતકારી જિનેશ્વર ભગવાન બિરાજમાન છે.” આ ભાવના આપણને નિર્ભય બનાવે છે. આપણા તમામ પ્રકારના અહિતોની કલ્પના દૂર કરે છે. અમારા દ્ધયમાં પરમ હિતકારી જિનેશ્વર ભગવાન છે. મારું કલ્યાણ જ થશે.......” - એક બીજી ભાવના આ પ્રકારે ભાવવીઃ “સર્વ દિશાઓમાંથી મને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.” તમે અનુભવ કરશો કે તમારા મનમાં શુભ વિચારોની હારમાળા શરૂ થશે ! શુભની, મંગળની, કલ્યાણની જ કલ્પના કરતા રહો. તમારી શ્રદ્ધાને બેવડાવો : - હવે તમારી આંખોમાં નિદ્રા ઊતરી રહી છે, તમારે ઊંઘવું છે. બસ, તમારી શ્રદ્ધાને બેવડાવીને સૂઈ જાઓ ! अरिहं देवो, गुरुणो सुसाहुणो जिणमयं मह पमाणं । इय सम्मत्तविसुद्धो धम्मो मे होउ सइ सरणं ॥ "અરિહંત મારું શરણ છે, મારા પરમાત્મા છે. સુસાધુ મારા ગુરુ છે અને જિનશાસન મારો ધર્મ છે.“ આ રીતે સમ્યકત્વથી નિર્મલ ધર્મ સદૈવ મારા શરણરૂપ થાઓ. "અરિહંત જ મારા દેવ છે, મારા આરાધ્ય છે, મારા તારણહાર છે. તેમના સિવાય હું અન્ય કોઈ દેવને મારા ભગવાન માનતો નથી. સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા જ મારા આરાધ્ય અને ઉપાસ્ય રહેશે.” એ રીતે તમારી શ્રદ્ધા ટકી રહેવી જોઈએ. "હું તો સર્વ દેવોને માનું છું.” રાગ-દ્વેષી દેવ અને વીતરાગ પરમાત્મા - સર્વને સમાન હરોળમાં મૂકીને મૂર્ખ લોકો કેવી ગંભીર ભૂલ કરે છે? આવી ભૂલ ન કરવી. હા, અન્ય દેવોનો અનાદર યા તિરસ્કાર ન કરવો. પરંતુ આપણા આરાધ્ય તો વીતરાગ પરમાત્મા જ રહેવા જોઈએ. "હું સુસાધુઓને જ મારા ગુરુ માનું છું.” ગુરુતત્ત્વનો નિર્ણય થવો જોઈએ કે જે મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે, જેઓ જીવોને સન્માર્ગ બતાવે છે, તેઓ જ સદ્ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy