SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જે કોઈ ધર્મવરુદ્ધ મનના વિચારો કર્યા હોય, જે કોઈ ધર્મવરુદ્ધ વચન બોલ્યા હોઈએ, - – જે કોઈ ધર્મવરુદ્ઘ શરીરની પ્રવૃત્તિ કરી હોય...તે મિથ્યા થાઓ..........તે મિથ્યા થાઓ......હું મિચ્છામિ દુક્કડં આપું છું. ફરીથી મારા જીવનમાં ધર્મવરુદ્ધ મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન થાઓ - એવી હું ભાવના રાખું છું. "યંતિ દિનચર્યા" નામના ગ્રંથમાં આ વાત કહેવામાં આવી છે ઃ जो मे धम्मविरुद्धो जाओ मण वयण - कायवावारो । मिच्छामि दुक्कडं तस्स पुणरवि मा हुा पावमई ॥ ચાર શરણનો સ્વીકાર કરવો. अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, શ્રાવકજીવન केवलीपन्नत्तं धम्मं सरणं पवज्जामि । હું અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારું છું. હું સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું. હું સાધુપુરુષોનું શરણ સ્વીકારું છું. હું સર્વજ્ઞ-પ્રણિત ધર્મનું શરણ સ્વીકારું છું. "આપણે આ ચાર પરમ તત્ત્વોનું શરણ સ્વીકારીએ તો તે ચારે તત્ત્વો આપણી રક્ષા કરે છે; આપણને સહાય કરે છે.” ચાર શરણ સ્વીકાર્યા પછી આપણે સર્વત્ર શુભ.....પ્રશસ્ત....અને સુંદરની કલ્પના કરવાની. સર્વત્ર પ્રસન્નતા છે ! ‘સર્વ શુકનો પ્રશસ્ત છે. સૌ સ્વજનો, સર્વ ગ્રહો અને સર્વ નક્ષત્રો મારા ઉપર પ્રસન્ન છે. ત્રણ ભુવનોના હિતકારી જિનેશ્વર ભગવંત મારા હૃદયમાં છે.’ કેટલી સરસ વાત કરી છે ? સૂતી સમયે અશુભની, અમંગળની અને ઉદ્વેગની કલ્પનાઓ ન કરવી. શુભની, મંગળની અને પ્રસન્નતાની કલ્પના-ભાવનાઓ ક૨વી. "મારા તમામ સ્વજનો મારા ઉપર પ્રસન્ન છે,” આ ભાવનાથી તમે તમારા પરિવારમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ નિર્માણ કરી શકશો. ભલે વ્યવહારમાં તેઓ તમારાથી સંતુષ્ટ ન પણ હોય, તમારા પ્રત્યે નારાજ હોય છતાં પણ વિચારતા રહો કે “મારાં સર્વ સ્વજનો મારા પ્રત્યે પ્રસન્ન છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy