SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૭૩ સારું.” દાનવીરે ૧૦ હજારનો ચેક લખીને આપી દીધો. મુસલમાન આગેવાને કહ્યું : “શેઠજી, આટલા બધા રૂપિયા આપની પાસેથી નથી લેવા, પાંચ હજાર તો અમે અમારા લોકોમાંથી એકઠા કરી લીધા છે. અમારે તો પાંચ હજાર જ જોઈએ.” દાનવીર શેઠે હસીને કહ્યું : “મેં તો ચેક આપી દીધો તમને ! પાછો નહીં લઉં! તમે તમારા ગરીબ ભાઈઓને મદદ કરશે, પરંતુ.... બોલતાં બોલતાં અટકી ગયા. મુસલમાન આગેવાને તરત જ કહ્યું : “કહો શેઠ, કેમ અટકી ગયા?" શેઠે કહ્યું : "મારી ઇચ્છા છે કે લોકો માંસાહાર છોડે. જે લોકો માંસાહારનો ત્યાગ કરે, તેમને સહાય કરવી, એ મારે કહેવું હતું.” "જરૂર શેઠજી. અમે આપની ઈચ્છા અનુસાર જ કામ કરીશું. અને જ્યાં સુધી મસ્જિદ તૈયાર નહીં થાય, ત્યાં સુધી અમે અહીં હાજર છીએ અને ચારે ભાઈઓ માંસાહારનો અત્યારથી ત્યાગ કરીએ છીએ.” જ્યારે ચારે મુસલમાન પોતાના વતનમાં ગયા, ત્યાં આ વાત જણાવી તો આખા ગામમાં શેઠની પ્રશંસા થવા લાગી. ત્યાં શેઠ લોકપ્રિય બની ગયા. અમદાવાદના કુંવરજી ઝવેરી : બીજી એક ઘટના છે અમદાવાદની. જે સમયે ભારત ઉપર મોગલ બાદશાહ અકબરનું સામ્રાજ્ય હતું. અમદાવાદનો સુબો હતો શિહાબખાન. એ સમયે જૈનશાસનના મહાન આચાર્ય હિરવિજયસૂરીશ્વરજી ગુજરાતમાં વિચરતા હતા. મુસલમાન સુબાઓનો જૈનપ્રજા સાથે વ્યવહાર સારો ન હતો. અમદાવાદમાં સુબા તરફથી આચાર્યદિવને પરેશાની થઈ હતી. આ દુઃખદ પરિસ્થિતિમાં અમદાવાદના શ્રેષ્ઠી કુંવરજી ઝવેરીએ વિચાર્યું : સલ્તનત સામે આપણું કશું જ નહીં ચાલે. પ્રજાને આપણા પક્ષમાં લેવી જોઈએ. પ્રજામાં આપણી લોકપ્રિયતા વધશે તો સુબાને જોઈ લેવાશે. કંવરજી ઝવેરી કરોડપતિ શ્રાવક હતા. એમણે પ્રજાને દાન આપવાની શરૂઆત કરી, પ્રેમથી આપવા લાગ્યા, ઉદારતાથી આપવા લાગ્યા. હિન્દુઓને અને મુસલમાનોને પણ આપવા લાગ્યા! બે-ત્રણ મહિનામાં કુંવરજી ઝવેરી આખા અમદાવાદમાં લોકપ્રિય વ્યક્તિ બની ગયા. સુબો પણ એમનું માન રાખવા લાગ્યો. માંડવગઢના મહામંત્રી પેથડશાહ: તમે પેથડશાહ અંગે ઘણું સાંભળ્યું હશે. કેટલીય વાર મેં તેમના જીવનમાંથી કેટલીક પ્રેરણાદાયી વાતો કહી છે. તેઓ માંડવગઢ રાજ્યમાં લોકપ્રિય હતા. રાજા કરતાં ય વધારે લોકપ્રિય હતા, પરંતુ તેમને દેવગિરિમાં દેરાસર બંધાવવું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy