SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શ્રાવકજીવન દેવગિરિ રાજ્યનો મહામંત્રી બ્રાહ્મણ હતો, કટ્ટર બ્રાહ્મણ હતો. દેવગિરિમાં જેનનું એક પણ ઘર ન હતું. પેથડશાહે વિચાર્યું : "બળપ્રયોગ કરવો નથી. દેવગિરિના મહામંત્રીને પ્રેમથી વશ કરીને કામ કરવું છે." ખૂબ ગંભીરતાથી વિચાર કર્યો. નિપુણ બુદ્ધિથી યોજના બનાવી. પોતાના અત્યંત વિશ્વસનીય રાજપુરુષને કામ સોંપ્યું. યોજના ગુપ્ત રાખવાની હતી. માંડવગઢ-દેવગિરિના રાજમાર્ગ ઉપર "વિશ્રામગૃહ” બનાવ્યું. પાણી, ભોજન અને વિશ્રામ મત મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી. ત્યાં વ્યવસ્થામાં હોશિયાર અને પ્રિયભાષી કર્મચારીઓ રોકવામાં આવ્યા. જે કોઈ મુસાફરો આવતા, તેઓ નવું વિશ્રામગૃહ જોતા અને અંદર જતા. પાણી પીતા, ભોજન કરતા, આરામ કરતા અને જતી વખતે પૂછતાં : "આ વિશ્રામગૃહ કયા મહાનુભાવે બનાવ્યું છે ?” કર્મચારીઓ કહેતા : “દેવગિરિના મહામંત્રીએ બનાવ્યું છે.” દરેક મુસાફરને આ જ જવાબ મળતો. દેવગિરિના મુસાફરોએ મહામંત્રી પાસે જઈને તેમની પ્રશંસા કરીઃ “કેટલું સરસ આરામગૃહ આપે બંધાવ્યું છે? ધન્ય છે આપને, ધન્ય છે આપનાં માતાપિતાને.” મહામંત્રી આશ્ચર્યના સાગરમાં ડૂબી જાય છે. તે વિચારે છેઃ "મેં તો વિશ્રામગૃહ બનાવ્યું નથી. કોણે બનાવ્યું હશે, અને શા માટે બનાવ્યું હશે ? રહસ્ય શું છે તે મારે શોધવું પડશે." એક દિવસ સ્વયં મંત્રી એ વિશ્રામગૃહમાં આવે છે. ત્યાંના કર્મચારી દેવગિરિના મહામંત્રીને ઓળખતા ન હતા. મહામંત્રીએ તમામ વ્યવસ્થા જોઈ, તે પ્રભાવિત થયા. જતી વખતે પૂછ્યું: "આ વિશ્રામગૃહ કોણે બનાવ્યું છે અને કોણ મહાનુભાવ છે, જે આ બધું ખર્ચ કરે છે ?" કર્મચારીએ એ જ જવાબ આપ્યો : “દેવગિરિના મહામંત્રીએ......” મહામંત્રીએ વાત કાપી નાખીને કહ્યું "ના, ખોટું નામ દો છો. હું જદેવગિરિનો મહામંત્રી છું. સાચું બતાવો. મારા યશને સર્વત્ર ફેલાવનારો મારો મિત્ર છે, એ મિત્રને હું જાણવા અને મળવા ઇચ્છું .” કર્મચારીએ પ્રણામ કરીને કહ્યું "ક્ષમા કરો, અમે અમારા માલિકની આજ્ઞા. પ્રમાણે જવાબ આપીએ છીએ.” "કોણ છે તમારા માલિક?" મહામંત્રીએ પૂછ્યું. "માંડવગઢના મહામંત્રી પેથડશાહ.” "ઓહ, પેથડશાહ ! આ બધું શા માટે કરી રહ્યા છે? હું એમને મળીશ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy