SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ભોજન કરવું જોઈએ. એથી દુઃખીજનોની દુઆ મળે છે.” ઘણા સમય પછી એ છોકરો મળ્યો; તેણે કહ્યું કે : "એક દિવસ અમારા ઘરની પાસે એક અંધ ભિક્ષુક બેઠો હતો; ‘હું ખૂબ ભૂખ્યો છું, કોઈ મને ભોજન આપો’ એવું વારંવાર બોલતો હતો.” મને દયા આવી. મેં એ અંધ ભિક્ષુકનો હાથ પકડીને મારા ઘરના આંગણામાં-કંપાઉન્ડમાં લઈ જઈને એને ભરપેટ ખવડાવ્યું. તે સંતોષ પામ્યો. મારા અવાજ ઉ૫૨થી તેને ખ્યાલ આવ્યો કે ‘હું નાનો છોકરો છું.’ તેણે મને કહ્યું : ”બેટા, તું ભણે છે ને ?” મેં કહ્યું : હા, ભણું છું. અત્યારે મારી પરીક્ષા ચાલી રહી છે. તે રોમાંચિત થઈને બોલી ઊઠ્યો : "બેટા, તું પાસ થઈ જઈશ.” તે પોતાના રસ્તે ચાલ્યો ગયો. હું સ્કૂલે ગયો. મહારાજસાહેબ, મને આશા ન હતી કે હું પાસ થઈશ. મારાં બે પેપરો સારાં ગયા ન હતાં, પરંતુ હું પાસ થઈ ગયો. મારા મનમાં એ વૃદ્ધ અંધ પુરુષની દુઆના શબ્દો ગુંજે છે : “બેટા, તું પાસ થઈ જઈશ.” સાચે જ ગરીબ લોકોની દુઆ ફળે છે. આ પ્રસંગ એ છોકરા માટે અનુકંપા-દાનમાં પ્રેરક બની ગયો. તે પોતાની શક્તિ અનુસાર, યથાશક્તિ અનુકંપા-દાન દેતો રહે છે. પોતાની શક્તિ અનુસાર અનુકંપાદાન કરતો રહે છે. શ્રાવકજીવન દ્રવ્ય-અનુકંપા : શક્તિ અનુસાર, દુઃખી જીવોને ભોજન, વસ્ત્ર વગેરે આપવું દ્રવ્ય-અનુકંપા છે. કોઈ ને કોઈ વસ્તુ આપવી, જે દુઃખી જીવો માટે ઉપયોગી છે. દુઃખી જીવો પ્રત્યે સહાનુભૂતિ બતાવીને આપવું. કદી તિરસ્કાર ન કરવો. યાદ રાખો, આ જન્મમાં નહીં તો ભૂતકાળના જન્મોમાં આપણે પણ દુઃખમય, ત્રાસમય અને કરુણાસ્પદ જીવન જીવ્યા છીએ. અને શું ખબર..... આવનારા ભવિષ્યમાં આપણે દુઃખી નહીં બનીએ ? એ સમયે આપણે પણ બીજાંની અનુકંપાની અપેક્ષા રાખીશું. આ જન્મમાં જો આપણે બીજા દુઃખી જીવો પ્રત્યે અનુકંપા બતાવી હશે તો આપણા પ્રત્યે અનુકંપા બતાવનારા મળશે. ભાવ-અનુકંપા : ટીકાકાર આચાર્યશ્રીએ અહીં ભાવ-અનુકંપાની ખૂબ સારી વાત કરી છે. આપણે જે ”ભાવ” સમજીએ છીએ કે ભાવથી એટલે કે મનથી અનુકંપા-દાન આપવું જોઈએ એ વાત નથી. અહીં તો નિરાળી જ વાત છે. તેઓ કહે છે કે દુઃખી મનુષ્યોના મનમાં વૈરાગ્યનો ભાવ પેદા કરો, તે તે ત્રાસ પામેલા મનુષ્યો ચાર ગતિમય સંસારમાં ભટકતા કેવાં કેવાં કષ્ટો સહન કરે છે તે સંભળાવો. કેવી કેવી વેદનાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy