SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૫૯ તેમણે કહ્યું "દુઃખ ઓછું થશે, વૈષ વધારે થશે.” મેં કહ્યું? તો પછી ભિખારીના મનમાં શું થશે? તેને દુઃખ થશે ને? માની લો કે તેને કયાંયથી ય ભિક્ષા નહીં મળે તો તે ભૂખ્યો રહેશે ને ? તમારામાં શક્તિ છે, તો તમે ભિખારીને-ગરીબને પેટ ભરીને ખવડાવો. શક્તિ હોય તો વસ્ત્ર પણ આપતા રહો. શક્તિ હોવાથી રોગી-ભિખારીને દવા પણ આપતા રહો. શક્તિ મળી છે તો સદુપયોગ કરો. ઉપભોગ નહીં ઉપયોગ કરો: પુણ્યકર્મના ઉદયથી તમને સુખનાં અનેક સાધનો મળ્યાં છે, જો તમે ઉપભોગ કરશો, સદુપયોગ નહીં કરો તો પાપકર્મનું બંધન થશે. ઉપભોગ મર્યાદિત અને સદુપયોગ વધારે કરશો તો પુણ્યબંધ કરશો. નવું પુણ્યકર્મ બાંધતા રહેશો. અજ્ઞાની લોકોની ધારણા જુદી જ હોય છે : "જેટલું વધારે મળ્યું છે સુખ, એટલું વધારે ભોગવવાનું. હા, એ લોકો ત્યારે જ ભોગપભોગ ઓછો કરે છે જ્યારે ભોગોપભોગની તેમની શક્તિ ક્ષીણ થઈ જાય છે, અથવા તેમનું શરીર રોગગ્રસ્ત થઈ જાય છે. આવા લોકો દુનિયામાં વધારે હોય છે, કારણ કે તેમને મોક્ષમાર્ગ નથી મળ્યો. તેમને શ્રાવકજીવનની કલ્પના ય નથી હોતી. આવા લોકો શક્તિ કરતાં વધારે ભોગોપભોગ કરે છે – શક્તિથી ખૂબ ઓછો સદુપયોગ કરે છે. જે શ્રાવકો છે, સુજ્ઞ જેનો છે, જે જ્ઞાની સગૃહસ્થો છે તેઓ ઉપભોગ ઓછો કરશે, ઉપયોગ વધુ કરશે. મુંબઈના એક સદ્દગૃહસ્થને હું જાણું છું. તેઓ પતિપત્ની બે જ છે. તેમનો ભોગ-ઉપભોગનો ખર્ચ માસિક ત્રણ હજાર છે; પરંતુ દાન ૨પ-પ૦ હજારનું આપે છે. તેઓ સમજે છે કે ભોગોપભોગથી પુણ્ય ક્ષીણ થઈ જાય છે. સદુપયોગથી પુણ્યની વૃદ્ધિ થાય છે. ભોગોપભોગ ખૂબ મર્યાદિત રાખવાથી અમે સુખી છીએ. અમને શાન્તિ મળે છે. સદુપયોગ કરવાથી હૃદય આનંદથી ભરેલું રહે છે. અજ્ઞાની લોકો પોતાની શક્તિને યા તો સમજતા નથી કે શક્તિ અનુસાર દાનઅનુકંપાદાન દેવાની ભાવના તેમનામાં હોતી નથી. થોડુંક દાન આપીને પણ તેઓ બોલે છે : "યથાશક્તિ અનુકંપા-દાન આપીએ છીએ.” એક સજ્જનને મેં સમજાવ્યા, “તમારી શક્તિ કેટલી છે? તમે આટલાં આટલાં અનુકંપાદાન કરી શકો છો, દુઃખી જીવોને દાન આપી શકો છો.” અને તેઓ એનુકંપાદાન આપવા માંડ્યા. તેમને ખબર જ ન હતી કે દુઃખી જીવોને અનુકંપાદાન આપવું એ ધર્મ છે અને પોતે આટલું સારું દાન આપી શકે છે. એક સુખી પરિવારના છોકરાને મેં કહ્યું "કોઈ દુઃખી મનુષ્યને ભોજન આપીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy