SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રાવકજીવન આ પર્વત ઉપર ચડતાં ચડતાં ૨૦ તીર્થકર ભગવંતોનાં જીવનચરિત્રોનો વિચાર કરવો. ૨૪ તીર્થકરોનાં જીવનચરિત્રો જાણો છો ને? ન જાણતા હો તો વાંચી લેવાં. ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રનો ગુજરાતી અનુવાદ છપાઈ ગયો છે. પ્રાયઃ હિન્દીમાં પણ છપાયો છે - મેળવીને અવશ્ય વાંચી લેવો. સમેત શિખર ઉપર સૌ પ્રથમ ભગવાન પાર્શ્વનાથના મંદિરમાં જવું. ભગવાન પાર્શ્વનાથનાં દર્શન-પૂજન-સ્તવન કરીને આત્માને નિર્મળ કરવો. એ પછી જ્યાં જ્યાં અન્ય તીર્થંકર ભગવંતોની ચરણપાદુકાઓ સ્થાપિત છે ત્યાં જઈને દર્શન-પૂજન કરવાં. એ સર્વે તીર્થંકરોની સ્તુતિ બોલવી. ૨૪ તીર્થકરોની ૨૪ સ્તુતિઓ આવડે છે? યાદ કરી લેવી જોઈએ. ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં સ્તુતિઓ છપાઈ છે. તમને લોકોને સંસ્કૃત અને પ્રાકૃત તો આવડતું નથી. એ ભાષાઓમાં અનેક સ્તુતિઓ રચાઈ છે, પરંતુ અર્થજ્ઞાન વગર સ્તુતિ બોલવાથી કોઈ લાભ થતો નથી. આ રીતે સમેત શિખરની યાત્રા કરવી જોઈએ - ભાવથી, મનથી. અન્ય તીર્થોનું ય સ્મરણ કરી લેવું ઃ શંખેશ્વર, આબુ, રાણકપુર, હસ્તિનાપુર, પાવાપુરી, રાજગૃહી વગેરે અન્ય તીર્થોની પણ માનસયાત્રા કરી લેવી જોઈએ. તમે જે તીથની યાત્રા કરી હોય તે તમામ તીથની સ્મૃતિ તાજી કરીને તથધિપતિ ભગવંતોનાં દર્શન-વંદન કરી લેવાં જોઈએ. તીર્થકરોને વંદના કરવી ? તીર્થનંદના પછી તીર્થકર ભગવંતોને ભાવવંદના કરવી જોઈએ. - ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં આવેલાં જિનચૈત્યોને હું વંદું છું. - એ જિનચૈત્યોમાં આવેલી સર્વ જિનપ્રતિમાઓને વંદન કરું છું. - "મહાવિદેહ” ક્ષેત્રમાં વિચરતા ૨૦ તીર્થંકર ભગવંતોને વંદન કરું છું. – જેબૂદ્વીપના મહાવિદેહમાં વિહરમાન સીમંધર સ્વામી, યુગમંધર સ્વામી, બાહુ સ્વામી અને સુબાહુ સ્વામીને વંદન કરું છું. ઘાતકીખંડના મહાવિદેહમાં વિહરમાન આઠ તીર્થકર ભગવંત સુજાત, સ્વયંપ્રભુ, ઋષભાનન, અનંતવીર્ય, સૂરપ્રભ શ્રીવિશાળ, શ્રી વજધર અને શ્રી ચંદ્રાનનને વંદન કરું છું. - પુષ્કરવર દ્વીપના મહાવિદેહમાં વિહરમાન આઠ તીર્થકર ભગવંત શ્રી ચંદ્રબાહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy