SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૧૯ વાતો તમારા મનમાં ઘૂમવા લાગશે. ઓછામાં ઓછાં ભગવાન નેમનાથનાં ત્રણ કલ્યાણકો તો યાદ કરવાં જ. - ભગવાન નેમનાથે આ પર્વત ઉપર દીક્ષા લીધી હતી. - ભગવાન નેમનાથને આ પર્વત ઉપર કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. - ભગવાન નેમનાથનું નિવણ પણ આ પર્વત ઉપર થયું હતું. – ભગવાન નેમનાથની વાગ્દત્તા રાજીમતીએ આ પર્વત ઉપર આવીને ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. આ પર્વત ઉપર કરોડો દેવતાઓ ઊતરી આવતા હતા, સમવસરણ રચતા હતા. ભગવાને અહીં ધર્મતીર્થની સ્થાપના કરી હતી. ચતુર્વિધ સંઘની રચના કરી હતી. જ્ઞાનની ગંગા વહેવડાવી હતી ! આ પર્વતની એક ગુફામાં સાધ્વી રાજીમતી અને મહાશ્રમણ રથનેમિનો રોમાંચક સંવાદ થયો હતો. સાધ્વીએ સાધુની કામવાસનાને નિર્મૂળ કરીને સાધુને પતનના ગર્તમાં પડતો બચાવ્યો હતો. આ બધી વાતો યાદ કરતા કરતા પર્વત ઉપર પહોંચી જશો. ત્યાં ધવલ મંદિરનાં ઉન્નત શિખરો ઉપર લહેરાતી ધજાઓનાં દર્શન થતાં જ “નમો જિણાણ” બોલીને પ્રણામ કરવા. ભગવાન નેમનાથના મંદિરમાં જઈને શ્યામ વર્ણની જિનપ્રતિમાનાં દર્શન-પૂજન કરવાં. ભગવદ્ભક્તિથી ગદગદિત થવું. અન્ય જિનમંદિરોમાં જઈને એકે-એક જિનપ્રતિમાનાં દર્શન-વંદન કરવાં. આ રીતે ગિરનાર તીર્થની ભાવયાત્રા કરીને, કલ્પનાના યાનમાં બેસીને સમેત શિખર પહોંચી જવું. સૌરાષ્ટ્રથી સીધા જ બિહાર પહોંચી જવાનું છે! સમેત શિખર તીર્થની સ્પર્શના કરવી ? - બિહારમાં સમેત શિખરનો વિશાળકાય પર્વત આવેલો છે. આ પણ સિદ્ધક્ષેત્ર છે. તમારામાંથી કેટલાકે તો આ તીર્થની યાત્રા કરી હશે! પૂર્વદિશના તીર્થોની યાત્રાઓ આજકાલ ૪૦ વર્ષથી વધી છે ! ઘણા યાત્રા-પ્રવાસો, સંઘયાત્રાઓ આયોજિત થાય છે. આ પર્વત ઉપર ૨૦ તીર્થંકર ભગવંતો નિર્વાણ પામ્યા હતા. આ નિવણિ ભૂમિ છે. અહીં અનેક મુનિવરોએ અનશન ગ્રહણ કરીને મુક્તિ પ્રાપ્ત કરી હતી. ૨૪ તીર્થકરોમાંથી ભગવાન ઋષભદેવનું નિવણ અષ્ટાપદ પર્વત પર થયું હતું. ભગવાન વાસુપૂજ્યનું નિવણ ચંપાનગરીમાં થયું હતું. ભગવાન નેમનાથનું નિર્વાણ ગિરનાર પર્વત ઉપર જ્યારે ભગવાન મહાવીરનું નિર્વાણ પાવાપુરીમાં થયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy