________________
શ્રાવકજીવન
૨૪૮
વિરોધ નથી કરતું. જો કે વિરોધ કરવો જોઈએ. જાહેરાતોમાં જે રીતે સ્ત્રીઓને બીભત્સતાથી દેખાડવામાં - ૨જૂ ક૨વામાં આવે છે તે અતિશય નિર્લજ્જ વાત છે. નારી-જગતનું ઘોર અપમાન છે. દાન સુપાત્રને અને વિધિપૂર્વક :
જિનશાસનની ઉન્નતિના સાત ઉપાયો બતાવ્યા પછી દાનના વિષયમાં માર્ગદર્શન આપવામાં આવે છે.
विभवोचितं विधिना क्षेत्रदानम् ॥६८॥ सत्कारादिविधिः निःसंगता च ॥ ६९॥ वीतरागधर्मसाधवः क्षेत्रम् ॥७०॥
· અહીં ધન-સંપત્તિના દાનની વાત નથી. સોના-ચાંદીના દાનની પણ વાત નથી. રૂપિયા-પૈસાના દાનની વાત ય નથી ! અહીં તો અન્ન, પાણી, વસ્ત્ર, ઔષધ, પાત્ર, પુસ્તક વગેરે વસ્તુઓના દાનની વાત છે.
આ દાન દરેક વ્યક્તિને આપવાની વાત નથી. વીતરાગ સર્વજ્ઞ - સર્વજ્ઞ શાસનના સાધુ-સાધ્વીઓને દાન આપવાની વાત છે, જેઓ પૂર્ણતયા સમાજ ઉપર આધારિત જીવન જીવી રહ્યાં છે. ન તો પોતે કમાય છે, ન તો સંગ્રહ કરે છે.
- આ દાન તમારે તમારી શક્તિ અનુસાર આપવાનું હોય છે. દેવું કરીને દાન આપવાનું નથી. ન્યાય-નીતિ અને ઈમાનદારીથી જે અર્થોપાર્જન કર્યું હોય તેમાંથી દાન આપવાનું હોય છે. "વિભવોચિતમ્”નો આ અર્થ છે.
દાન વિધિપૂર્વક આપવાનું હોય છે. સાધુ-મુનિરાજ જ્યારે તમારે ઘેર પધારે ત્યારે તમે ઊભા થઈને ‘મર્ત્યĪ વંવામિ’ બોલીને સત્કાર કરો. ઉચિત આસન આપો. મુનિરાજ આસન ગ્રહણ કરે; તમારી પાસે જે કંઈ આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ આદિ હોય તે તેમની સામે મૂકી દો અને કહો ઃ “આપને જે કંઈ ઉપયોગી હોય તેને કૃપા કરીને ગ્રહણ કરો; આપ સ્વીકારશો તો મારા ઉપર ઉપકાર થશે.” આ રીતે તમે તમારી વિશુદ્ધ શ્રદ્ધાને પ્રકટ કરો.
અને અંતિમ વાત છે નિઃસંગતાની. ખૂબ મહત્ત્વની વાત છે આ. તમારે જે દાન આપવું હોય તે નિઃસ્પૃહ ભાવથી આપવાનું છે. ઇહલૌકિક યા પારલૌકિક કોઈ ફળની અપેક્ષા ન હોવી જોઈએ. એકમાત્ર મુક્તિની, મોક્ષની ભાવનાથી દાન આપવાનું છે. આ વાત ગંભીરતાથી સમજવી જરૂરી છે. નિરાશંસ ભાવથી દાન આપવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org