SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૨ ૨૪૭ કરે છે. તીર્થંકરને જન્મ આપનારી માતા પણ એટલી જ પુણ્યશાલિની અને મહાન છે. મેરુ પર્વતની રચના કરવામાં આવે છે. તેની ઉ૫૨ ૬૪ ઈન્દ્ર-ઇન્દ્રાણી વગેરે આવે છે, અભિષેક કરે છે. આ દૃશ્ય પ્રભાવોત્પાદક હોય છે. દેવ-દેવેન્દ્ર પણ તીર્થંકરના ભક્ત હોય છે.” આ વાત અજૈન લોકોને ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. જ્યારે સ્ટેજ ઉપર આ કાર્યક્રમ ચાલે છે તે સમયે યા તો મુનિરાજ અથવા કોઈ ગૃહસ્થ પ્રસંગને સમજાવતા જતા હોય છે, ‘રનિંગ કોમેન્ટ્રી' ચાલતી હોય છે, અંદાજે ચાર કલાકનો આ કાર્યક્રમ-મહોત્સવ હોય છે. એમાં જૈન-અજૈન સૌ લોકોને નિમંત્રિત કરવાં જોઈએ. આ રીતે જિનશાસનની ઉન્નતિ કરવી જોઈએ. આ કોઈ ધર્માન્તરની વાત નથી : તમારે એવું નહીં વિચારવું કે આપણે બીજા લોકોને "જૈન” બનાવીને આપણાં જૈનોની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. જૈનધર્મ તો સંખ્યા કરતાં વધારે તો ગુણવત્તાને મહત્ત્વ આપે છે. ભલે જૈનો થોડા રહ્યા પરંતુ "ક્વોલીટી" હોવી જોઈએ. ગુણવત્તા શ્રેષ્ઠ હોવી જોઈએ. "બધા જૈનધર્મ પામે,” એવી આપણા સૌની ભાવના હોવી જોઈએ; કારણ જૈનધર્મ પોતાના સિદ્ધાંતોથી સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ છે. જૈનધર્મનો "અનેકાન્તવાદ” કોઈ ધર્મમાં નથી. જૈનધર્મનો "કર્મવાદ" અદ્ભુત વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. જૈનધર્મની "અહિંસા" કેટલી સૂક્ષ્મ અને વ્યાપક છે ! જો દુનિયાના લોકો આ ધર્મનો સ્વીકા૨ કરે તો દુનિયાના ઘણાખરા ઝઘડા - ઘણાંખરાં યુદ્ધો સમાપ્ત થઈ જાય. જૈનધર્મનો પ્રભાવ ફેલાવવો એ આપણું કર્તવ્ય છે. સહજતાથી કોઈ ધર્મનો સ્વીકાર કરે છે તો તેનું કલ્યાણ થાય છે. એમાં કોઈ લાલચ આપવામાં નથી આવતી. કરુણાથી, દયાથી દુઃખી મનુષ્યોનાં દુઃખ દૂર કરવાની પ્રવૃત્તિને લાલચ કહેવામાં નથી આવતી. ન કોઈ મનુષ્યને આપણે ભય બતાવીએ છીએ કે "જો તું જૈનધર્મનો સ્વીકાર નહીં કરે તો તું નર્કમાં જઈશ...... ” હા, આપણે એમ કહીએ છીએ કે તું હિંસાદિ પાપ કરીશ તો દુઃખી થઈ જઈશ. જે માણસ બીજા જીવોને દુઃખ આપે છે, તે જાતે દુઃખી થાય જ છે; આ વાત તો સર્વ ધર્મો કહે છે. સારી વાત કહેવી અને બીજાંને આકર્ષિત કરવાં એ કોઈ ખરાબ વસ્તુ નથી. આજે તો ખરાબ વાતોની અને તેનાથી લોકોને આકર્ષિત કરવા કેટલી જાહેરાતો છપાય છે ? T.V. ઉપર, રેડિયો ઉપર કેવી કેવી જાહેરાતો આવે છે ? કોઈ એનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy