SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન ૨૪૬ જિન-જન્માભિષેક મહોત્સવઃ . જે રીતે તીર્થયાત્રાના માધ્યમથી જિનશાસનની પ્રભાવના કરવાની છે, એ રીતે વિવિધ મહોત્સવોના માધ્યમથી પણ જિનશાસનની પ્રભાવના કરવી જોઈએ. આપણા ધર્મશાસનમાં અનેક મહોત્સવો બતાવવામાં આવ્યા છે. એમાંનો એક છે "જિન-જન્માભિષેક, જે ખૂબ જ આકર્ષક મહોત્સવ છે. તીર્થંકરનો આત્મા માતાના ઉદરમાં આવે છે અને માતા ૧૪ સ્વપ્ર જુએ છે, ત્યાંથી આ મહોત્સવનો પ્રારંભ થાય છે. એક પ્રકારનું નાટક ડ્રામા જ છે. કોઈ સ્ત્રી તીર્થંકરની માતા બને છે. તેનો પતિ તીર્થંકરનો પિતા બને છે. ૧૪ સ્વપ્ર બતાવવામાં આવે છે. આ “સ્ટેજ પ્રોગ્રામ” થાય છે. પહેલાંના જમાનામાં સ્ટેજ-પ્રોગ્રામ થતા ન હતા. લોકોની વચ્ચે જમીન ઉપર જ કાર્યક્રમો થતા હતા. કેટલાંક વર્ષોથી સ્ટેજપ્રોગ્રામો થાય છે. તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે દેવલોકની પ૬ દિકકમારિકાઓ તીર્થંકરની માતાની પાસે આવે છે અને "સૂતિ કર્મ” કરે છે. આઠ-આઠના ગ્રુપમાં અને ચાર-ચારના ગ્રુપમાં તેઓ આવે છે. દેવકુમારિકાઓ જેવા વેશમાં આવે છે, એ સમયે ગીત-સંગીત ચાલતું હોય છે. આની પહેલાં જ્યારે માતાને ૧૪ સ્વમ આવે છે, એ વિશિષ્ટ સ્વપ્રોનું ફળ સાંભળવા માટે પાઠકોને રાજસભામાં બોલાવવામાં આવે છે, અને એ એક-એક સ્વપ્રનું ફળ સાંભળવામાં આવે છે. રાજા એ પંડિતોને સ્વર્ણમહોરોનું પ્રીતિદાન આપે છે. આ દ્રય પણ ખૂબ જ આકર્ષક હોય છે. ભગવાનનો જન્મ થાય છે ત્યારે દેવલોકમાં ઈન્દ્રનું સિંહાસન ડોલે છે. ઈન્દ્ર અવધિજ્ઞાનથી જુએ છે - "મારું ઈન્દ્રાસન કોણે હલાવ્યું?" વ્યાકુળતાથી જુએ છે. જ્યારે તેને ખબર પડે છે કે પૃથ્વી પર તીર્થંકરનો જન્મ થયો છે, તે સિંહાસન ઉપરથી ઊતરી જાય છે. પગમાંથી જોડા કાઢી નાખે છે અને જે દિશામાં તીર્થંકરનો જન્મ થયો હોય છે, એ દિશામાં વિશિષ્ટ આસન-મુદ્રામાં બેસીને “નમુત્યુનું સૂત્ર” બોલે. છે. હર્ષ-પુલકિત થઈને બોલે છે. પછી સેનાપતિને બોલાવીને, એની પાસે "સુઘોષા” ઘંટ વગડાવે છે. લાખો દેવો એકત્ર થઈ જાય છે. દેવો સાથે ઈન્દ્ર નવજાત તીર્થકરને લઈને "મેરુ પર્વત” ઉપર જાય છે. ૬૪ ઈન્દ્રો એકઠા થાય છે. ત્યાં તીર્થંકર ઉપર અભિષેક કરવામાં આવે છે. અભિષેક પછી ઈન્દ્ર બળદનું રૂપ લઈને તીર્થંકરની સામે નૃત્ય કરે છે. એ રીતે તે કહે છેઃ “હે ભગવંત, હું આપની સામે ઈન્દ્ર નથી, બળદ જેવો બુદ્ધિહીન છું.” પછી માતાની પાસે જઈને ભગવાનને મૂકી દે છે. માતાનો પણ ઈન્દ્ર આદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy