SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રવચન : ૪૫) પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની આચારસંહિતા પ્રસ્તુત કરી છે. જો તમારે શ્રાવકજીવન જીવવું હોય, સાચા સ્વરૂપમાં શ્રાવકજીવન જીવવું હોય, તો તમને આ ગ્રંથમાંથી માર્ગદર્શન મળી શકશે - સુચારુ માર્ગદર્શન મળી શકશે. જિનશાસનની ઉન્નતિના સાત ઉપાયો બતાવ્યા છે. કોઈ ને કોઈ ઉપાયથી જિનશાસનની ઉન્નતિ કરતા રહેવું. જિનવચનો પ્રત્યે પોતાના દયમાં અને બીજાંના બ્દયમાં ઉચ્ચ કોટિનો ભાવ-અહોભાવ પ્રકટ થવો જોઈએ. સાતમો ઉપાય છે - વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન કરવું. એવું આયોજન કરવાનું કે અજૈન પ્રજા એ ઉત્સવોમાં જોડાય અને આનંદ અનુભવે. અજૈન પ્રજા માટે જ ખાસ કરીને મહોત્સવો કરવામાં આવે. એમના દ્ધયમાં જિનવચનો પ્રત્યે આદરભાવ પેદા કરવાનો છે. એ પ્રજા સાથે તમારો ઉચિત વ્યવહાર હોવો જોઈએ. કોઈનો પણ તિરસ્કાર ન કરવો જોઈએ. કોઈનું ય અપમાન ન કરવું જોઈએ. મંદિર-ઉપાશ્રયમાં પ્રભાવના : જ્યારે મંદિરમાં મહોત્સવનું આયોજન થાય છે, પૂજા-મહાપૂજાઓ થાય છે, અને જ્યારે પૂજા પૂર્ણ થાય છે ત્યારે લોકોને પ્રભાવના આપવામાં આવે છે. મીઠાઈ વહેંચવામાં આવે છે અથવા ફળ આપવામાં આવે છે અથવા શ્રીફળ વગેરે આપવામાં આવે છે. કેવી રીતે આપવામાં આવે છે ? ન કોઈ શિસ્ત, ન કોઈ વ્યવસ્થા ! અને જો કોઈ અજૈન છોકરો યા સ્ત્રી લેવા માટે આવી જાય છે, તો પ્રભાવના વહેંચનાર એનો તિરસ્કાર કરે છે, તે તમે જોયું છે ? "પ્રભાવના” કરીએ છીએ, પરંતુ પ્રભાવનાનો અર્થ નથી જાણતા ! ખાસ કરીને અજેને લોકો માટે પ્રભાવના હોય છે. જેથી કરીને તે લોકો જેનધર્મ પ્રત્યે આદરવાળા બને. પરંતુ એમને તો આપવામાં આવતી જ નથી ! તમે લોકો જ વહેંચી લો છો ! જો કે વર્તમાનકાળમાં પ્રભાવનાની આ પદ્ધતિ એટલી બધી પ્રભાવશાળી નથી રહી. પ્રભાવને લઈને ઘેર ચાલ્યા જાય છે. ભગવાનને યાદ કરતા નથી કે ન તો એક પણ શબ્દ પ્રશંસાનો બોલે છે. જે લોકોમાં - આમ જનતામાં જૈનધર્મનો પ્રભાવ ઉત્પન્ન કરે એને પ્રભાવના કહેવામાં આવે છે. વર્તમાનકાળમાં, આ કાળને અનુરૂપ પ્રભાવના કરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy