SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ આ દાન સુપાત્ર સાધુપુરુષ મળતાં દરરોજ આપવાનું છે - શક્તિઅનુસાર આપવાનું છે. શક્તિથી ઓછું નહીં તેમજ શક્તિથી વધારે પણ નહીં. દાન વિધિપૂર્વક આપવું જોઈએ : . ૨ જ્યાં વિધિપૂર્વક દાન આપવાની વાત કરી છે તેનો અર્થ થાય છે - વિનય અને વિવેક. સાધુ-સાધ્વી આપના ઘરમાં પ્રવેશ કરે ત્યારે તમે બેઠા હો અથવા ભોજન કરતા હો, તમારે ઊભા થવું જોઈએ. આ પ્રથમ વિધિ છે. આ વિવેક છે. બે હાથ જોડીને મસ્તક નમાવીને ‘મસ્થળ વંવામિ’ બોલવું જોઈએ. ભલે સાધુ-સાધ્વી દિવસમાં એક વાર આવે યા બે વાર આવે, ‘નત્થણા વંવામિ’ બોલીને, ઊભા થઈને સ્વાગત કરવું, બેસવા માટે આસન આપવું. હા, મુનિરાજ ઊભા હોય ત્યાં સુધી પંચાંગ પ્રણિપાત ન કરવો જોઈએ. ૨૪૯ આ વિધિ તમે ભૂલી જ ગયા છો. સાધુ-મુનિરાજ ઊભા હોય છે, બેઠા નથી હોતા અને તમે લોકો વંદન કરો છો. મુનિરાજ બેસે તે પછી જ વંદન કરવાં જોઈએ. વંદન કર્યા પછી તમારી પાસે જે કંઈ અન્ન-વસ્ત્ર વગેરે હોય એ વસ્તુઓને રજૂ ક૨વી જોઈએ, અને વિનંતી કરવી જોઈએ કે "આપના ઉપયોગમાં આવે તે વસ્તુઓ ગ્રહણ ક૨વાની કૃપા કરો.” એવું ન પૂછવું જોઈએ કે ઃ ”મહારાજસાહેબ, આપને શું જોઈએ ?” એવું પૂછવાથી મુનિરાજને વિચાર આવે છે કે : “મારે જે જોઈએ તે આ ઘરમાં નહીં હોય તો તેને સંકોચ થશે, શક્તિ હશે તો લાવવા દોડાદોડ કરશે. શક્તિ નહીં હોય તો ખરીદીને લાવવાની શરમ આવશે.” એટલે મુનિરાજ કશું ય માગ્યા સિવાય ચાલ્યા જાય. વર્તમાનકાળની પરિસ્થિતિ હું જાણું છું. સાધુ-મુનિરાજ તમારી શક્તિ અને ભક્તિ જોઈને બોલશે, જોઈતી વસ્તુ મંગાવી લે છે. આ પરિસ્થિતિ એટલા માટે પેદા થઈ કે તમે એમને વિધિપૂર્વક પૂછવાની પદ્ધતિ ત્યજી દીધી. કોઈ કોઈ ગામનગરોમાં આ પદ્ધતિ ચાલી રહી છે, પરંતુ પાંચ ટકા જેટલા જ પિરવારોમાં ! અમારી, સાધુ-સાધ્વીની પ્રાચીન આચારમર્યાદા એ હતી કે અમારે જે કંઈ આહાર, પાણી, વસ્ત્ર, પુસ્તક વગેરે જરૂરી હોય તે ગૃહસ્થોના ઘેર જઈને લાવતાં હતાં. આજકાલ આહાર-પાણી લેવા (પાણી નહીં, તમારા ઘરમાં તમે ગરમ પાણી પીતા નથી, એટલે બનાવતા નથી !) આવીએ છીએ. વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે તમે લોકો અમારી પાસે આવીને અમને આપો છો. દાન આપવામાં ભાવની પ્રધાનતા હોવી જોઈએ. દ્રવ્ય તો તમે શક્તિઅનુસાર આપી શકો છો, ભાવ તો શ્રેષ્ઠ હોવા જોઈએ. દાન આપતી વખતે તમારે મુનિરાજના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy