SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૩૯ સુવર્ણાક્ષરે લખાયેલાં મહાન સંઘપતિઓનાં નામ અને કામનાં વર્ણનો વાંચી લેવાં જોઈએ. અથવા ગુરમુખેથી સાંભળી લેવાં જોઈએ. એનાથી તમારા હૃદયમાં પણ સારા મનોરથો ઉત્પન્ન થશે. હું પણ આ પ્રકારના ભવ્ય યાત્રાસંઘો કાઢીશ.” એવી ભાવનાઓ પેદા થશે.. – રાજા વિક્રમાદિત્ય સિદ્ધસેન દિવાકરસૂરિજીની નિશ્રામાં પાંચ હજાર જેટલા જૈનાચાર્યોની સાથે લાખો સ્ત્રીપુરુષોનો સંઘ કાઢ્યો હતો. - રાજા સિદ્ધરાજે અને કુમારપાળે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીની નિશ્રામાં ભવ્ય સંઘ કાઢ્યા હતા. – મહામંત્રી વસ્તુપાળ-તેજપાળે પણ ગિરિરાજના સંઘ કાઢ્યા હતા. – માંડવગઢના મહામંત્રી ઝાંઝણશાહે પણ ગિરિરાજનો સંઘ કાઢ્યો હતો. એ રાતે આભુ સંઘવી વગેરેની સંઘયાત્રાઓ જિનશાસનની અપૂર્વ ઉન્નતિ કરનારી બની હતી. જિનશાસનની ઉન્નતિના લક્ષ્યથી જ સંઘ કાઢવામાં આવતા હતા. અજેને પ્રજાને પણ ધમપદેશ : સિંઘયાત્રા દરમિયાન મહત્ત્વનું એક કાર્ય કરવું જોઈએ, તે કાર્ય છે અજૈન પ્રજાઓને ધર્મોપદેશ સંભળાવવો. રાત્રે યા દિવસે આખું ગામ ભેગું કરવું અને પ્રવચનકાર મુનિવર-આચાયદિ એવો ધમોપદેશ સંભળાવે કે જેનાથી જિનશાસન પ્રત્યે પ્રજાના મનમાં સદ્દભાવ-પ્રેમ વધે. અજૈન પ્રજા સામે પ્રવચન આપતી વખતે પ્રવચનકારે અજૈન પ્રજાનાં દેવદેવીઓની નિંદા ન કરવી, જિનશાસનનાં શ્રેષ્ઠ આચારમયદાઓનું વિવેચન કરવું, પરંતુ અન્ય ધર્મો ઉપર પ્રહાર ન કરવો. ભલે સાચી વાતો હોય, પરંતુ પ્રજાનાં દિલ દુભાય તેવી વાતો ન કરવી જોઈએ. સર્વ પ્રકારનું સત્ય સર્વત્ર બોલવાનું હોતું નથી. અજૈન લોકોને ખાસ કરીને વ્યસનોથી મુક્ત થવા અને હિંસા છોડવાનો ઉપદેશ આપવો જોઈએ. દાન અને શીલનો ઉપદેશ આપવો જોઈએ. જેનદર્શન, જૈનધર્મની વિશાળ દ્રષ્ટિનો બોધ આપવો જોઈએ. જૈનશાસન માત્ર જૈનોનું જ નથી, જીવમાત્રનું કલ્યાણ ઇચ્છનારું ધર્મશાસન છે. ચાર વર્ણનાં તમામ લોકો જૈનધર્મ સ્વીકારી શકે છે. જેન” શબ્દ જાતિવાચક નથી, ધર્મવાચક છે. મહાવીર ક્ષત્રિય હતા અને તેમના ૧૧ મુખ્ય શિષ્યો બ્રાહ્મણો હતા! જૈનધર્મ સર્વેનો છે. સૌને માટે જૈનધર્મનાં દ્વાર ખુલ્લાં છે. આ રીતે ઉપદેશ આપવાથી અને ગીતા, ઉપનિષદ, ભાગવત, વેદ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy