SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રાવકજીવન ગ્રંથોમાંથી ઉદ્ધરણો આપવાથી અજૈન પ્રજા ખૂબ પ્રભાવિત થાય છે. આવી રીતનાં પ્રવચનો દરેક ગામમાં થવાં જોઈએ. પ્રવચનોથી જિનશાસનની અપૂર્વ ઉન્નતિ થાય છે. તમે દાન આપો અમે પ્રવચનો આપીએ, તમે દ્રવ્યનું દાન આપો અમે ભાવોનું દાન આપીએ. ઉદારતાથી આપો, થાક્યા વગર આપતા રહીએ... આપતા જ રહીએ. જિનશાસન પ્રત્યે હજારો લોકોનું આકર્ષણ જાગશે. વ્યક્તિગત તીર્થયાત્રા : આ તો મેં સંઘયાત્રા સંબંધી બતાવ્યું કે જે જૈનશાસનની ઉન્નતિનું એક મુખ્ય કારણ છે. પ્રાસંગિક રૂપે વ્યક્તિગત તીર્થયાત્રાના વિષયમાં પણ માર્ગદર્શન આપું છું. તીર્થયાત્રા કરવા તમે સંઘની સાથે ન જતા હો, એકલા યા પરિવાર સાથે જતા હો, તમે પગે ચાલીને જઈ શકો છો. સાથે ‘કાર’ વગેરે વાહન રાખી શકો છો. તમારો સામાન, નોકર વગેરે વાહનમાં જઈ શકે છે. તમે લોકો પગપાળા જાઓ. તમારે સોના-ચાંદી વગેરેનાં આભૂષણો ન પહેરવાં જોઈએ. ગજવામાં વધારે પૈસા પણ ન રાખવા જોઈએ. તમે નિર્ભયતાથી ચાલી શકો છો. બે-ચાર માણસો ઓછામાં ઓછાં હોવાં જોઈએ. કેટલાક સાહસિક પુરુષો એકલા પણ જાય છે ! ઉ૫૨ બતાવેલા નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. કેટલીક સાવધાનીઓ : રસ્તે જતાં રેડિયો ન સાંભળવો જોઈએ. રસ્તે ચાલતાં પરસ્પર નકામી વાતો ન કરવી જોઈએ. કોઈની નિંદા ન કરવી જોઈએ. ગપ્પાં પણ ન મારવાં જોઈએ. કોઈની સાથે લડાઈ-ઝઘડો ન કરવો જોઈએ. કોઈ કષ્ટ આવે, અસુવિધા આવે તો સમભાવ રાખવો જોઈએ. સાથી યાત્રીઓ સાથે મૈત્રીભાવ રાખવો જોઈએ. — — — - — કોઈ બીમાર પડી જાય, તો તેની સેવા કરવી જોઈએ. જતી વખતે જ્યાં જ્યાં મુકામ કરો, ત્યાં પ્રતિક્રમણ, સામાયિક, સ્વાધ્યાય, પ્રભુભક્તિ, શ્રી નવકાર મંત્રનો જાપ, જે તીર્થ પાસે જાઓ છો, તેના નામની માળાનો જાપ વગેરે કરવું જોઈએ. જુગા૨ ન ૨મવો જોઈએ. તીર્થસ્થાનમાં પહોંચ્યા પછી ભાવોલ્લાસની સાથે અને વિધિપૂર્વક યાત્રા કરવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy