SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રાવકજીવન પરંતુ તમારી વાત એ નથી. સામાન્ય કોટિના મંદિરથી શાસનપ્રભાવના થતી નથી. વિશિષ્ટ કોટિનાં મંદિરથી શાસન ઉન્નતિ થાય છે. શત્રુંજય પર્વત ઉપર જે લોકો જાય છે, ગિરનાર પર્વત ઉપર જેઓ જાય છે, ત્યાં મંદિરોની દુનિયા જોઈને પ્રશંસાનાં પુષ્પ વેરાય છે ઃ પાવાપુરીનું મંદિર અને જેસલમેર - લોદ્રવાજીનાં ભવ્ય મંદિર લોકોના ચિત્તને આકર્ષે છે. તારંગાજી(ગુજરાત)નું ગગનસ્પર્શી ભવ્ય મંદિર અને વિરાટકાય પ્રતિમા.... કોના મનને મુગ્ધ નથી કરતાં ? રાજા કુમારપાળે ૮૦૦ વર્ષ પૂર્વે બનાવેલું આ મંદિર જિનશાસનનું ગૌરવ છે. વર્તમાનકાળમાં પણ કેટલીય જગાએ કલાત્મક મંદિરો બની રહ્યાં છે. મહેસાણા (ગુજરાત)નું સીમંધર સ્વામીનું મંદિર અને પાલીતાણા - સોનગઢ રોડ ઉપર બનેલું કીર્તિધામ... દર્શનીય મંદિરો છે. જિનમંદિરનું નિર્માણ વિધિપૂર્વક, શાસ્ત્રીય પદ્ધતિએ કરવામાં આવે છે. ખાણમાંથી પથ્થર કાઢવાથી શરૂ કરીને પ્રતિમાનું સર્જન કરવા સુધી બધું જ વિધિપૂર્વક કરવામાં આવે છે. મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે મંદિર બનાવનાર ગૃહસ્થના ઉત્કૃષ્ટ ભાવ અને પથ્થર ઘડનારા શિલ્પીના શુભ ભાવ હોવા જોઈએ. ઉત્કૃષ્ટ-શુભ ભાવથી મંદિર બને છે. એ મંદિરમાં જનારાને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. શુભ ભાવોથી પ્રભાવિત ક્ષેત્રનો મહિમા હોય છે. એટલા માટે તો આબુ - દેલવાડા ઉપ૨ અનુપમાદેવી જ્યારે મંદિર બનાવી રહી હતી ત્યારે તે શિલ્પીઓનો પૂરેપૂરો ખ્યાલ રાખતી હતી. અતિશય ઠંડી પડતી હતી ત્યારે તે શિલ્પી પાસે સગડી રાખતી હતી. કોઈ શિલ્પી - કારીગર બીમાર પડી જતો તો એનો ઔષધ-ઉપચાર થતો હતો. આ શાસ્ત્રીય વિધાન છે કે મંદિર બનાવનારા સર્વેનાં ચિત્ત પ્રસન્ન અને સંતુષ્ટ રહેવાં જોઈએ. કોઈનું પણ મન ઉદ્વિગ્ન યા અસંતુષ્ટ ન રહેવું જોઈએ. મંદિરોની દેખભાળ જરૂરી ઃ મંદિર નિર્માણ થઈ જાય છે, પ્રતિષ્ઠા મહોત્સવ પણ થઈ જાય છે. લાખો-કરોડો રૂપિયા ખર્ચ થઈ જાય છે. ધામધૂમ થઈ જાય છે, પરંતુ જ્યારે પાછળથી પૂજારીનો પગાર નક્કી કરવામાં આવે છે ત્યારે ઓછામાં ઓછો પગાર આપવાની વાત આવે છે ! પૂજારીનું મન સંતોષ પામતું નથી. ઘર ચલાવવા માટે હજારો રૂપિયા જોઈએ, પણ એને પગાર મળે છે ૭૦૦ યા ૮૦૦ રૂપિયા ! સભામાંથી : અમે લોકો તો ૫૦૦ રૂપિયા જ આપીએ છીએ. મહારાજશ્રી ઃ પછી મંદિરમાં ચોરી કરવાનો જ વિચાર આવે ને ? ખૂબ વિચારવા જેવી વાત છે. ૨૫ યા ૩૦ લાખ રૂપિયાનું મંદિર બંધાવ્યું. પચાસ લાખથી કરોડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy