SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૩૩ રૂપિયા પ્રતિષ્ઠામાં ખર્ચે છે. જે સંઘ ૨૫-૫૦ લાખની બોલીઓ બોલી શકે છે, તે સંઘ ૪-૫ લાખનું નિભાવ-ખર્ચ ન કરી શકે? સારું નિભાવ-ફંડ હોય તો પૂજારીને પૂરો પગાર પણ આપી શકાય. જો સંઘ સમૃદ્ધ ન હોય તો વધારે પગાર ન આપી શકે, તો દેવદ્રવ્યમાંથી પગાર આપવામાં આવે, પરંતુ પૂજારીનું મન પ્રસન્ન રહેવું જોઈએ. એનું ગુજરાન સારી રીતે થતું હશે તો તે મંદિરને સારી રીતે સંભાળશે, તે ચોરી નહીં કરે. માંડવગઢના મહામંત્રી પેથડશાહે દેવગિરિમાં ભવ્ય મંદિર બનાવ્યું હતું. પ્રતિષ્ઠાના દિવસે પૂજારીને સ્થાવર અને જંગમ એટલી સંપત્તિ આપી હતી કે તેની સાત પેઢીઓ સુધી ચાલે ! કહો, એ પૂજારી મંદિરને કેટલું સારું સંભાળશે? એક તીર્થમાં એક નવું વિશાળ મંદિર બન્યું. એક કરોડ રૂપિયામાં બન્યું હશે. એ મંદિરનો વહીવટ કરવા માટે મુનીમની જરૂર હતી. એક શ્રાવકને બોલાવવામાં આવ્યો. શ્રાવકે કહ્યું: “મને મહિને એક હજાર રૂપિયા મળવા જોઈએ, સાધારણ ખાતામાંથી પગાર મળવો જોઈએ. મંદિરના ટ્રસ્ટીઓએ કહ્યું : "અમારી પાસે સાધારણ ખાતામાં વધારે પૈસા નથી. અમે તમને મહિને ૬૦ રૂપિયા આપી શકીએ !” શ્રાવકે ના પાડી. શ્રાવકે મને કહ્યું કે "શું મારા પરિવારનું ગુજરાન ૬૦૦ રૂપિયામાં થઈ શકે ? ટ્રસ્ટીઓ આટલો વિચાર પણ કરતા નથી.” મંદિર બનાવવાની સાથે સાથે તેનું નિભાવ-ફંડ પણ કરવું જ જોઈએ. નોકરી કરનારાઓને પયપ્તિ સુવિધા મળવી જ જોઈએ. પૂરતો પગાર પણ આપવો જ જોઈએ. તે વાતમાં સંકોચ ન કરવો જોઈએ. નોકરોને ખુશ રાખો. તે લોકો તનમનથી ભગવાનની સેવા કરશે. મંદિરને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થવા દે. સભામાંથી મુનીમોને પૂરો પગાર નથી મળતો તો તેઓ મંદિરની પેઢીમાં ગોટાળા કરે છે. યાત્રિકો પાસેથી લાંચ લે છે. મહારાજશ્રી એટલા માટે તો આ વાત સમજાવું છું. લાખો-કરોડોના ખર્ચે મંદિર બંધાવો છો. પછી મંદિરની ચાવી જેને આપો છો તે મુનીમ યા પૂજારીને પર્યાપ્ત વેતન આપવું જ જોઈએ. લક્ષ્ય જિનશાસનની ઉન્નતિનું જ રાખવું જોઈએ ? આ તો પ્રાસંગિક વાત કરી છે. પ્રસ્તુતમાં વાત છે જિનશાસનની ઉન્નતિ કરવાની. દરેક શ્રાવક-શ્રાવિકાના મનમાં જિનશાસન પ્રત્યે ગાઢ પ્રેમ હોવો જોઈએ. સૌથી વધારે પ્રિય જિનશાસન હોવું જોઈએ, ત્યારે એ શાસનની ઉન્નતિ કરનારા આ બધા ઉપાયો સહજ રીતે કરાશે. પોતપોતાની સંપત્તિ અનુસાર તમે લોકો ઉપાય કરતા રહો. તમારા મનમાં નિર્ણય કરો કેઃ “મારા સંજોગો અનુકૂળ હશે, મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy