SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ હૉસ્પિટલ બાંધવા માટે ૨૫ કરોડનું દાન આપ્યું. તેણે શરત મૂકી કે એ હૉસ્પિટલ ઉપર તેનું નામ નહીં આવે. ફોટો નહીં મુકાય ! નામ રહેશે ભગવાન શ્રીકૃષ્ણનું ! મૂર્તિ રહેશે ભગવાન શ્રીકૃષ્ણની ! આ કળિયુગમાં પણ ઉદાર અને ગુપ્ત દાન કરનારી સ્ત્રીઓ છે ને ! આ દેશની ધરતી કોઈ વાર ઓછી કે વત્તી, આવી ઉત્તમ વ્યક્તિઓને જન્મ આપતી રહી છે. રાણકપુરનું જૈનમંદિર ૯૯ કરોડમાં બન્યું હતું ! : આશરે ૫૦૦ વર્ષ પૂર્વે રાજસ્થાનમાં સાદડી ગામ પાસે જંગલમાં પહાડોની વચ્ચે બનેલું ભવ્ય જિનમંદિર જોયું છે ? અવશ્ય યાત્રા કરો. ધનાશા પોરવાડ નામના એક જ નરવીરે આ મંદિર બનાવ્યું હતું. ૯૯ કરોડ રૂપિયા એ મંદિરના નિર્માણમાં ખર્ચાયા હતા ! ૫૦૦ વર્ષ પૂર્વે ૯૯ કરોડ રૂપિયા લાગ્યા હતા ! આજના હિસાબે કેટલા રૂપિયા થાય ? ભાગ ૨ - રાણકપુરમાં પ્રતિવર્ષ હજારો વિદેશી પર્યટકો આવે છે. હજારો યાત્રિકો આવે છે. મંદિર જોઈને ધન્ય ધન્ય થઈ જાય છે. એનું અદ્ભુત શિલ્પ અને સ્થાપત્ય જોઈને દિમાગ સ્વિંગ થઈ જાય છે. અતિ વિશાળ મંદિર હોવા છતાં પણ Air & Lightહવા-ઉજાસની વ્યવસ્થા જોજો ! મંદિરના કોઈ પણ ભાગમાં જઈને ઊભા રહો. ત્યાં તમને પ્રકાશ મળશે, હવા મળશે. અંદાજે ૧૪૪૪ સ્તંભો છે એ મંદિરમાં ! રમણીય પ્રદેશ છે, સુવિશાળ ધર્મશાળા છે, ભવ્ય દેરાસર છે, નયનરમ્ય પ્રતિમા છે ! દર્શન, પૂજન અને સ્તવન કરીને પુણ્યના ભંડાર ભરતા રહો ! આજકાલ નાનું મંદિર બાંધવા માટે પણ ફાળો એકત્ર કરે છે, પોતે શ્રીમંત હોય છે, પોતાના બંગલા, લાખો રૂપિયા હોય છે, પરંતુ મંદિર બનાવવા માટે ગામમાં ફાળો એકઠો કરે છે. બહારગામ જઈને ફાળો એકઠો કરે છે. ગુજરાતના એક ગામના લોકો અમારી પાસે આવ્યા, તેમણે કહ્યું : "અમારા ગામમાં ૨૫ લાખ રૂપિયા ખર્ચ કરીને અમે દેરાસર બંધાવીએ છીએ. એ માટે ફાળો એકઠો કરવા અમે નીકળ્યા છીએ.” મેં કહ્યું : "તમારા ગામમાં મંદિર બાંધવા માટે તો ગામવાળાઓએ જ પૈસા આપવા જોઈએ. જો ગામમાંથી ૨૫ લાખ રૂપિયા એકઠા ન કરી શકતા હો તો ૧૦ લાખનું મંદિર બાંધો, ૫ લાખનું બાંધો. જો કે તમારા ગામના લોકો તો ખૂબ સુખી છે. ૨૫ લાખ એકઠા કરી શકો છો !” કેટલી ખોટી પરંપરા શરૂ થઈ ગઈ છે ? બહારગામથી પૈસા લાવીને પોતાના ગામમાં મંદિર બાંધવું - આ કેટલું ખોટું છે ? હા, ગામના લોકો શ્રીમંત ન હોય, ગામમાં મંદિર ન હોય, અથવા મંદિરનો જીર્ણોદ્વાર કરવો આવશ્યક હોય તો બહારગામ જઈને પૈસા લાવીને મંદિર-નિર્માણ કરી શકો છો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy