SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩) શ્રાવકજીવન આબુ-દેલવાડા જાય છે. ત્યાંનાં કલાત્મક, ભવ્ય જિનમંદિરો જુએ છે, કલા, શિલ્પ વગેરે નિહાળે છે અને શ્રદ્ધાથી-પ્રેમથી અભિભૂત થઈ જાય છે. આવાં જિનમંદિરોને ૮૦૦ વર્ષ પૂર્વે ગુજરાતના મહામંત્રી વિમલશાહે, મહામંત્રી વસ્તુપાળ-તેજપાળે બનાવ્યાં હતાં. અનુપમાદેવીએ ત્યાં સ્વયં હાજર રહીને મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. ૮૦૦ વર્ષથી એ મંદિરો લાખો લોકોને જિનશાસન પ્રત્યે આકર્ષિત કરી રહ્યાં શું તમે જાણો છો તેજપાલની પત્ની અનુપમાદેવીએ એ દેલવાડાની જમીન કેવી રીતે લીધી હતી? ત્યાંના રાજાએ કહ્યું: "જેટલી જમીન જોઈએ તેટલી જમીન ઉપર ચાંદીના સિક્કા પાથરી દો, જમીન તમારી સિક્કા અમારા! અનુપમાદેવીએ ગોળ નહીં, ચોરસ સિકકા બનાવડાવીને જમીન ઉપર પાથર્યા હતા અને પરમાર રાજા. પાસેથી જમીન લીધી હતી. રાજા પણ દંગ થઈ ગયો હતો, જિનશાસનથી પ્રભાવિત થયો હતો. જિનમંદિરનું નિર્માણ પણ કેટલી ઉદારતાથી કર્યું? શું ઈતિહાસ વાંચ્યો છે? ન વાંચ્યો હોય તો અવશ્ય વાંચો. માલુમ પડશે કે જિનમંદિર કેવી રીતે બનાવવામાં આવે છે. પોતાના લાખો-કરોડો રૂપિયા ખરચીને ભવ્ય અને રમણીય જિનાલયો બનાવવાં જોઈએ, એ તમારા જીવનનું શ્રેષ્ઠ સુકત હશે. જિનશાસનની પ્રભાવના થશે. જો પુણ્યોદયથી પૈસા મળ્યા હોય તો સદુપયોગ કરી લો. શ્રીમંત લોકો પણ મંદિર માટે ફાળો એકત્ર કરે છે ! આજના જમાનામાં તમારા લોકો પાસે કેવા પૈસા આવ્યા છે?પૈસાનો સદુપયોગ કરવાની ભાવના જ પેદા થતી નથી! સર્વ શુભ કાર્યોમાં જિનમંદિરનું નિમણિ કરવું શ્રેષ્ઠ શુભ કાર્ય છે. પરમાત્મા પ્રત્યે તમારા હૃદયમાં ઉત્કૃષ્ટ ભક્તિ હશે તો તમે પરમાત્માના મંદિરના નિમણિમાં કોઈ કસર નહીં રાખો. એક છોકરીના લગ્નમાં તેના શ્રીમંત પિતાએ બે કરોડનું ખર્ચ કર્યું. અમે પૂછ્યું "આટલું બધું ખર્ચ કેમ કર્યું?" તેણે જવાબ આપ્યો: "મને મારી દીકરી ખૂબ પ્યારી છે....... એનાથી વધારે કોઈ નથી ! એટલે તેનું લગ્ન ભવ્યતાથી કર્યું !” વાત કેટલી તકેયુક્ત છે ! મનોવૈજ્ઞાનિક વાત છે. પોતાની પ્રિય વ્યક્તિ માટે માણસ જે કંઈ કરવા ઇચ્છે તે કરવા સ્વતંત્ર છે. તે કોઈથી બંધાયેલો નથી. કોઈ મનુષ્યને પરમાત્મા પ્રિય હોય, તો તેના નામ ઉપર, એની પ્રતિમા ઉપર, એના મંદિર ઉપર કરોડો રૂપિયા ખર્ચ કરી શકે છે. ભગવાન કૃષ્ણના નામ ઉપર ૨૫ કરોડનું દાન ! હમણાં મેં એક પ્રસિદ્ધ છાપામાં વાંચ્યું કે મુંબઈમાં એક શ્રીમંત મહિલાએ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy