SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૨૯ સાથે પુરુષોની મૈત્રી પણ વધી ગઈ છે. સ્ત્રીઓ ઑફિસમાં નોકરી કરે છે. શેઠને ખુશ રાખવા માટે પોતાનું શરીર સમર્પિત કરી દે છે ! અથવા પોતાની સાથે નોકરી કરનાર કોઈ પુરુષને સમર્પિત કરી દે છે. નોકરી કરનારી સ્ત્રીઓમાં કેટલી સ્ત્રીઓ પોતાના શીલને સુરક્ષિત રાખી શકે છે? કોઈ સ્પષ્ટવક્તા સ્ત્રીને પૂછવું, મેં તો પૂછ્યું છે. જે ઘરમાં સ્ત્રીપુરુષ બંને નોકરી કરે છે, બંને વેપાર કરે છે, તે ઘરમાં પ્રાયઃ દાંપત્યજીવન ક્લેશમય, અશાંત બની જાય છે. એકબીજા પ્રત્યે શંકા પેદા થાય છે. બંનેમાં અહંકાર આવે છે. એકબીજાની સાથે પ્રતિબદ્ધતા નથી રહેતી. પછી ઘરમાં રહેવું પસંદ પડતું નથી અને બહાર ભટકવા લાગે છે. આવા લોકો શીલપાલન કેવી રીતે કરશે ? એક ભાઈએ મને કહ્યું : “શીલપાલનની દ્રષ્ટિથી અમે પતન પામ્યા છીએ. શીલના માધ્યમથી અમે ન તો અમારું કલ્યાણ કરી શકીએ છીએ કે ન તો જિનશાસનની ઉન્નતિ કરી શકીએ છીએ. અમારી નિર્બળતા કહો, નિર્લજ્જતા કહો યા મજબૂરી કહો, ગમે તે કહો, આ દુષિત વાતાવરણમાં શીલનું પાલન અસંભવ જેવું લાગે છે. છતાં પણ જેઓ શીલનું પાલન કરે છે, તેઓ વંદનીય છે, પૂજનીય એ ભાઈની વાત અતિસ્પષ્ટ હતી. દંભ કરવાનો કોઈ અર્થ નથી. મેં એની વાત સાંભળી લીધી. સામાજિક પરિવર્તન સામે જ દેખાય છે. ધર્મસ્થાનોમાં પણ વિકૃતિઓ પ્રવેશી ચૂકી છે. રોગનાં જંતુઓ જ્યાં પણ ફેલાશે, રોગ પેદા કરશે. તમે લોકો જ્યાં પણ જશો, ત્યાં વિકૃતિઓ પેદા કરશો જ! ઠીક છે, આ વિષયમાં આમે. ય હું વધારે ચર્ચા કરતો નથી. ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જેમ કોઈ મોટું સરોવર તૂટી જાય અને આજુબાજુનાં ગામોને ડુબાડી દે, એ રીતે આ દુઃશીલતાનું સરોવર તૂટી ગયું છે, એમાં દેશ અને દુનિયા ડૂબી રહ્યાં છે. બચવાનો કોઈ ઉપાય નથી. વર્તમાનકાળમાં પરિશુદ્ધ શીલપાલનથી શાસનોન્નતિ પ્રાયઃ સંભવ નથી. છઠ્ઠો ઉપાય છે - જિનમંદિરોનું નિર્માણ : હવે આપણે આગળ વધીએ છીએ. જિનશાસનની ઉન્નતિના સાત ઉપાયોમાં છઠ્ઠો ઉપાય છે જિનમંદિરનું નિમણિ કરવાનો. એટલે કે જિનમંદિરો જોઈને બીજા લોકો જિનશાસનની પ્રશંસા કરે ! આવી પ્રશંસા ત્યારે જ થઈ શકે જ્યારે અન્ય ધર્મોવાળાઓનાં મંદિરો કરતાં જિનમંદિરો ચડિયાતાં હોય ! કલાની દ્રષ્ટિથી, શિલ્પસ્થાપત્યની વૃષ્ટિથી, ભવ્યતા અને વિશાળતાની દ્રષ્ટિથી જિનમંદિર અદ્વિતીય હશે ત્યારે જ તેની સર્વત્ર પ્રશંસા થશે. દેશવિદેશના લોકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy