SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૨૭ વિસંવાદિતા આવી પણ જાય, તો તેને તરત જ દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પતિ-પત્ની બંનેએ એકબીજાની અનુભૂતિઓ, આકાંક્ષાઓને નિરંતર સમજતા રહેવું જોઈએ - આ જ વૈવાહિક અંતરંગ છે. "મેરિડ પીપલ સ્ટેઇગ ટુગેધર ઈન ધ એજ ઑફ ડાયવર્સ નામના પુસ્તકમાં લેખિકા ફોસીસ ક્લાસન” લખે છે : "હું મારી સાસુના વિવાહને યાદ કરું છું. એ જમાનામાં વિવાહ કોઈ મધ્યસ્થી નકકી કરતો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં બેલ્જિયમમાં પરંપરાવાદી યહુદીઓમાં આ રીત હતી અને એક આજ્ઞાધારી બેટીની માફક તેમણે આ રીતનો વિરોધ કર્યો ન હતો, છતાં તેમનો વિવાહ-સંબંધ તેમના મૃત્યુ સુધી લગભગ ૫૦ વર્ષ સુધી ચાલ્યો. મારાં સાસુ-સસરા જીવનભર અનેક મુશ્કેલીઓ - વિશ્વયુદ્ધ, વેપારમાં અસફળતા, સસરાનો ઘાતક દયરોગ વગેરે - સહન કરતાં રહ્યાં. કોઈ વાર તેમની વચ્ચે કજિયા થયા તો કોઈ વાર મનમેળ પણ થયો. પરંતુ તેમના જીવનમાં નિષ્ઠા અને સમર્પણ પોતાની ચરમકક્ષાએ હતા, જ્યાં પ્રેમલગ્ન કરનારાં યુગલો પણ તેમની પાછળ રહી જતાં હતાં. એક વાર બીમાર પડવ્યા પછી મારી સાસુએ મને કહ્યું: “તારા પાપા મારે માટે કેટલું બધું કરે છે? કેવી રીતે મારું ધ્યાન રાખે છે, એને કોઈ જાણી નહીં શકે ! પોતાની પત્નીનું આવું ધ્યાન રાખનાર લોકો ખરેખર વિરલ જ હશે.” મેં પૂછ્યું તો શું તમે એને માટે એટલું નથી કર્યું? તે ગંભીરતાથી બોલી : "હા, મેં પણ કર્યું, પણ શું આ વિચિત્ર નથી લાગતું? અથવા તારી માફક હું પણ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે વિવાહ કરવા સ્વતંત્ર હોત તો કહી નથી શકતી કે મેં એને જ પસંદ કર્યો હોત. પરંતુ હું બીજા કોઈ પુરુષ તરફ એટલી નિકટતાની - કલ્પના પણ નથી કરી શકતી. ખબર નથી, તું મારી આ વાત સમજી શકીશ કે નહીં ! કારણ કે આજે જમાનો કેટલો બદલાઈ ગયો છે, કેવી રીતે બતાવું. અમે બંને એકબીજાની સાથે સદાય સહજ અને સુરક્ષિત અનુભવ કરતાં હતાં !” જમાનો બદલાઈ ગયો છે ? એક વિદેશી શીલવતી નારીને પણ લાગે છે કે આજે જમાનો બદલાઈ ગયો છે. સાચી વાત છે. આજે શીલ-સદાચારની વાત માણસ ભૂલતો જાય છે. “મુક્ત જીવન”ના નામે વ્યભિચારને ઉત્તેજન મળ્યું છે. એનાથી પોતાની પસંદગીનું વિવાહજીવન પણ તૂટતું જાય છે. પુરુષ પત્ની સિવાય પ્રેયસી પણ રાખવા લાગ્યો છે અને સ્ત્રી પણ પતિ સિવાય પ્રેમીને ત્યાં જાય છે, આવે છે. બંનેમાં નથી રહી નિષ્ઠા, નથી રહી સમર્પિતતા અને નથી રહી અંતરંગતા, એટલા માટે તમારા લોકોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy